ઓમિક્રોન દિવસેને દિવસે ભારતમાં ચિંતા વધારી છે, નાગપુર બાદ હવે કેરળમાં પણ એક કેસ મળી આવતા ટૅન્શન વધ્યું છે.
ભારતમાં ઓમિક્રોનના કેસની સંખ્યા વધવા લાગી
આજે દેશમાં વધુ 5 કેસ નોંધાયા
કેરળમાં નોઁધાયો પ્રથમ કેસ
મહારાષ્ટ્ર,ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, કર્ણાટક,નાગપુર, આંધ્રપ્રદેશ,ચંદીગઢ, બાદ હવે કેરળના કોચિનમાં એક શખ્સ ઓમિક્રોનથી સંક્રમિત હોવાના અહેવાલો સામે આવતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.
High-risk passengers who were seated next to him have been informed. There is no need to panic, his condition is stable. His wife and mother tested positive for Covid. All of them shifted to isolation ward. Necessary precautions being taken: Kerala Health Minister Veena George pic.twitter.com/GHVeAZPeko
જો કે, સંક્રમિત હોવાની પુષ્ટી થયાં બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે અને વ્યક્તિને ક્વોરન્ટાઈન કરવાની તજવીજ હાથ ધર હતી. રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે એક શખ્સ પોઝિટિવ હોવાની પુષ્ટી કરતા કહ્યું હતું કે, આ વ્યક્તિ 6 ડિસેમ્બરના રોજ UKથી કોચિન પરત ફર્યો હતો. ત્યારબાદ 8 ડિસેમ્બરે કોવિડ ટેસ્ટ કરવામાં આવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
કોઈ ગંભીર લક્ષણ નહીં
આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ઓમિક્રોનથી સંક્રમિત થયેલા આ શખ્સમાં કોઈ ગંભીર લક્ષણ જોવા મળ્યા નહોતા. તંત્ર દ્વારા અગમચેતીના પગલા રૂપે ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે અને તેની સાર સંભાળ રાખવામાં આવી રહી છે.
રવિવારે ભારતમાં નોંધાયા વધુ 5 કેસ, કુલ કેસ થયા ઓમિક્રોનના 38
ભારતમાં ઓમિક્રોનના કેસ વધવા લાગ્યા છે. રવિવારે ઓમિક્રોનના વધુ 5 કેસ નોંધાયા છે, કર્ણાટકમાં ઓમિક્રોનનો ત્રીજો કેસ નોંધાયો છે જ્યારે ચંદીગઢ અને આંધ્રપ્રદેશમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો છે. સાઉથ આફ્રિકાથી આવેલો 34 વર્ષીય શખ્સમાં ઓમિક્રોનના લક્ષણો જોવા મળ્યાં હતા, તેનો ટેસ્ટ કરવામાં આવતા તે પોઝિટીવ આવ્યો છે. કર્ણાટકના હેલ્થ મિનિસ્ટર ડોક્ટર સુધાકરે જણાવ્યું કે ઓમિક્રોન પોઝિટીવ શખ્સને આઈસોલેટ કરી દેવાયો છે અને તેની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેની સાથે સંપર્કમાં આવેલા 5 પ્રાઈમરી અને 15 સેકન્ડરી સંપર્કોને શોધી કાઢવામાં આવ્યાં છે અને તેમના સેમ્પલને ટેસ્ટિંગ માટે મોકલાયા છે.
ઓમિક્રોનની વચ્ચે ભારત સરકાર સતર્ક
ઉલ્લેખનીય છે કે વધતા કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના વધતા ખતરાની વચ્ચે ભારત સરકાર સતર્ક થઈ ગઈ છે. શનિવારે કેન્દ્ર સરકારના 3 રાજ્યોને આઠ જિલ્લા તરફ ધ્યાન આપતા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું છે કે સ્થિતિ પર ભારે નજર રાખે અને નવા મામલાને ક્લસ્ટર પર નિયંત્રણ રાખવાનું જણાવ્યું છે.
ઓમિક્રોન 59 દેશોમાં ફેલાયો
કોરોનાના અત્યંત ચેપી ગણાતા ઓમિક્રોન અત્યાર સુધીમાં 59 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. નવા વેરિયન્ટથી ભારતમાં ત્રીજી લહેરની ચિંતા પેદા થઈ છે. WHOના સાઉથ ઈસ્ટ એશિયા માટે રિજિનલ ડિરેક્ટર ડોક્ટર પૂનમ ખેત્રપાલે જણાવ્યું કે નવા વેરિયન્ટનો મતલબ એવો નથી કે પરિસ્થિતિ ખરાબ થશે પરંતુ નિશ્ચિત રીતે સ્થિતિ અનિશ્ચિત થશે.
દુનિયા પર મહામારીનો ખતરો યથાવત
તેમણે કહ્યું કે મહામારીનો ખતરો હજુ પણ મંડરાઈ રહ્યો છે. નવા વેરિયન્ટના આવ્યા બાદ અને દુનિયાના બીજા હિસ્સામાં વધી રહેલો કેસને જોતા વૈશ્વિક સ્તરે કોવિડ-19નું જોખમ ઘણું વધ્યું છે. તેમણે કહ્યું કે દક્ષિણ એશિયા વિસ્તારમાં આપણે હથિયાર હેઠા ન મૂકવા જોઈએ. આપણે દેખરેખ વ્યવસ્થા, પલ્બિક હેલ્થ અને સામાજિક ઉપાયોને મજબૂત કરવાનું ચાલુ રાખવું જોઈએ અને વેક્સિનેશનનો વ્યાપ વધારવો જોઈએ.