દેશમાં ગ્રીન ફંગસના મામલામાં વધારો જોવા મળી રહ્યો છે. હવે પંજાબમાં આ બિમારીનો પહેલો મામલો સામે આવ્યો છે. જલંધરના સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં ફંગસની પુષ્ટિ થઈ છે. મધ્ય પ્રદેશના ઈન્દોરમાં ગ્રીન ફંગસનો પહેલો કેસ સામે આવ્યો હતો.
રાજ્યનો પહેલે ગ્રીન ફંગસનો મામલો સામે આવ્યો
જલંધર સિવિલ હોસ્પિટલના મહામારી વિશેષજ્ઞ ડોક્ટર પરમવીર સિંહનું કહેવું છે કે અમારા ત્યાં ગ્રીન ફંગસનો પહેલો કન્ફર્મ મામલો સામે આવ્યો છે. દર્દી કોરોનાથી સાજો થઈ ચૂક્યો છે. ત્યાર તમામ ડોક્ટરોના ઓબ્જર્વેશનમાં છે. જોકે હાલ ન કહી શકીએ કે તેમની સ્થિતિ સ્થિર છે. આની પહેલા ગ્રીન ફંગસનો એક મામલો સામે આવ્યો હતો પરંતુ તેની પુષ્ટિ નહોતી થઈ શકી.
શું છે ગ્રીન ફંગસ
ગ્રીન ફંગસને અસ્પરગિલોસિસ (Aspergillosis)ના રુપમાં ઓળખવામાં આવે છે. સામાન્ય ભાષામાં આને ગ્રીન ફંગસનું નામ આપવામાં આવે છે. એક્સપર્ટ્સ અનુસાર આ અનેક પ્રકારના હોય છે અને દર્દીના ફેંફલામાં ઘણી ઝડપથી આ ફંગસ ઈન્ફેક્શન ફેલાય છે. જેમાં ફેંફસામાં મવાદ ભરી દે છે. જે આ પ્રકારની બિમારીનું જોખમ વધારે છે.
જાણકારોનું માનીએ તો સંક્રમણ ન ફક્ત શરીરની અંદર બલ્કે બહાર પણ નજરે પડે છે. ભારતમાં ગ્રીન ફંગસનો પહેલા મામલાને લઈ શ્રી અરવિંદો ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસના ચેસ્ટ ડિસિઝ વિભાગના પ્રમુખ ડો. રવિ ડોસીનું કહેવું છે કે કોરોનાથી સાજા થનારા દર્દીએ પોતાનો ટેસ્ટ એમ સમજીને કર્યો હતો કે તે બ્લેક ફંગસની ઝપેટમાં આવી ગયો હશે પરંતુ બાદમાં ખબર પડી કે તે ગ્રીન ફંગસનો શિકાર થયો છે.