મોદી સરકારના બીજા કાર્યકાળ પહેલા મંત્રી પરિષદમાં આ મહિને વિસ્તાર થઈ શકે છે.
સરકારમાં ડર્ઝન ભર મંત્રીઓ પર વધારે ભારણ
મંત્રીપરિષદમાં ફેરફાર માટે 23 મંત્રાલયોની પસંદગી કરાશે
ચર્ચા માટે સિંધિયા વિદેશ પ્રવાસની પહેલા અઠવાડિયે પાછા ફરશે
મંત્રીપરિષદમાં ફેરફાર માટે 23 મંત્રાલયોની પસંદગી કરાશે
મંત્રીપરિષદમાં ફેરફાર અને પરિવર્તન માટે 23 મંત્રાલયોની પસંદગી કરવામાં આવશે. આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્બાનંદ સોનાવાલ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને મુકુલ રોયને વિસ્તાર પર ચર્ચા કરવા માટે જલ્દી બોલાવી શકાય એમ છે. અનેક મંત્રીઓના નિધન અને અન્ય કારણોથી સરકારમાં ડર્ઝન ભર મંત્રીઓની પાસે એકથી વધારે મંત્રાલયોની જવાબદારી છે. વિસ્તારના માધ્યમથી એવા મંત્રીઓનો ભાર ઓછો કરાશે. વિસ્તાર પર સિલેક્ટેડ નેતાઓની સાથે આ મહિનાની શરુઆતમાં ચર્ચા કરવામાં આવવાની હતી.
ચર્ચા માટે સિંધિયા વિદેશ પ્રવાસની પહેલા અઠવાડિયે પાછા ફરશે
સોનોવાલને દિલ્હી બોલાવ્યા હતા. જ્યારે ચર્ચા માટે સિંધિયા વિદેશ પ્રવાસની પહેલા અઠવાડિયે પાછા ફરશે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના ઘટનાક્રમના કારણે ચર્ચામાં મોડું થયુ. હવે કહેવામાં આવી રહ્યું છે કે તે જલ્દી જ આ નેતાાઓની સાથે ચર્ચાનો દોર શરુ થઈ શકે તેમ છે.
સરકારમાં સામેલ થઈ શકે છે જદયૂ
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોદી મંત્રી પરિષદમાં સામિલ થવા પર પોતાની સહમતિ આપી દીધી છે. જો કે જદયૂને કેબિનેટમાં કેવા પ્રકારનું પ્રતિનિધિત્વ મળશે તેના પર ચર્ચા થવાની બાકી છે. સૂત્રોનું કહેવું છે કે જદયૂને કેબિનેટ અને રાજ્યમંત્રીના એક એક પદ આપવામાં આવશે. અપના દળના મંત્રીપરિષદને વિસ્તારમાં જગ્યા મળી શકે છે. અપના દળની અધ્યક્ષ અનુપ્રિયા પટેલે ગુરુવારે ગૃહમંત્રી સાથે મુલાકાત પણ કરી હતી.
અનેક મંત્રીઓ પર ઘણુ વધારે છે કામનું ભારણ
વર્તમાનમાં અનેક મંત્રીઓ પર કામનું ભારણ વધારે છે. તેવામાં 2 મંત્રીઓ શિવસેનાના અરવિંદ સાંવત, અકાળી દળના હરસિમરત કૌરના રાજીનામા અને 2 મંત્રીઓના મોતના કારણે થયું છે. સૂચના તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરની પાસે પર્યાવરણની સાથે ભારે ઉદ્યોગ મંત્રાલયનો પણ ભાર છે. રેલવે મંત્રી પીયૂલ ગોયલની પાસે વાણિજ્ય, રેલ મંત્રાલય ઉપરાંત ગ્રાહકોના મામલાનો ભાર છે. આ રીતે પહેલા જ કૃષિ, પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસની જવાબાદારી સંભાળી રહેલા નરેન્દ્ર સિંહ તોમરની પાસે ખાદ્ય પ્રસંસ્કરણનો વધારાનો ભાર છે. જ્યારે આયુષ મંત્રી શ્રીપદ નાઈકના રોડ અકસ્માતમાં ઘાયલ થયા બાત તેમની મંત્રાલયની જવાબદારી રમત તથા યુવા મામલાના મંત્રી કિરેન રિજિજૂ સંભાળી રહ્યા છે.