ગુજરાતના બોટાદમાં આવેલા કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરમાં હનુમાન દાદાની ખાસ બ્લેક ગ્રેનાઈટની મૂર્તિ બનાવવામાં આવી રહી છે. આ મૂર્તિની ખાસિયત છે કે તે ભારતમાં પ્રથમવાર બની રહી છે અને તે પણ ગુજરાતમાં. મંદિરમાંથી મળતી માહિતી મુજબ આ મૂર્તિને 1000 વર્ષ સુધી કંઈ થશે નહીં. આ મૂર્તિનું અનાવરણ 5 એપ્રિલ 2020ના રોજ હનુમાન જયંતિના દિવસે કરવામાં આવશે. જાણો આ મૂર્તિની અન્ય ખાસિયતો વિશે.
પ્રતિમા બનાવવાનો કુલ ખર્ચ અંદાજે 3.5 કરોડ રૂપિયાનો રહેશે
પ્રતિમા બનાવવા માટે લગભગ 750 ટન બ્લેક ગ્રેફાઈટ વપરાશે
હનુમાનજીની બ્લેક ગ્રેનાઈટની મૂર્તિની આ છે વિશેષતાઓ
મૂર્તિની પહોળાઈ - 24 ફૂટ અને જાડાઈ 10 ફૂટ
મૂર્તિની ઉંચાઈ - 54 ફૂટ અને 4 ફૂટ બેઝમેન્ટમાં
મૂર્તિની કુલ ઉંચાઈ - 58 ફૂટ
ગદાની ઊંચાઈ 24 ફૂટ અને પહોળાઈ 13 ફૂટ
મુખ્ય પથ્થર 210 ટનનો હશે.
પથ્થર- આ માટેના બ્લેક ગ્રેનાઈટ રાજસ્થાનના ભીલવાડાથી મંગાવાયા છે
લગભગ 750 ટન બ્લેક ગ્રેનાઈટ વપરાશે
અંદાજે 3.5 કરોડ રૂપિયામાં તૈયાર થશે હનુમાન દાદાની આ પ્રતિમા
1000 વર્ષ સુધી કાયમ રહેશે આ પ્રતિમા
ખાસ પ્રકારના લેબ ટેસ્ટમાંથી પસાર થાય છે બ્લેક ગ્રેનાઈટ
મૂર્તિને કુલ 8થી 10 ભાગમાં બનાવાશે
મૂર્તિ બનાવવા માટે 80થી 100 શિલ્પીઓ કરશે કામ
હનુમાનજીની ગદાની વિશેષતા
બ્લેક ગ્રેનાઈટની મૂર્તિની સાથે અહીં દાદાની ગદાની પણ ખાસ વિશેષતા છે. ગદાની ઊંચાઈ 24 ફૂટની છે. અને પહોળાઈ 13 ફૂટની રાખવામાં આવી છે.
કઈ રીતે બનશે હનુમાનજીની બ્લેક ગ્રેનાઈટની આ મૂર્તિ?
ભારત વર્ષની સૌ પ્રથમ બ્લેક ગ્રેનાઈટની મૂર્તિને કુલ 8થી 10 ભાગમાં બનાવવવામાં આવશે. તેની ઉંચાઈ 28 ફૂટ અને પહોળાઈ 13 ફૂટની રાખવામાં આવશે. સુંદર શણગારવાળી દાદાની મૂર્તિ તૈયાર કરાશે. મૂર્તિનો પ્રથમ પથ્થર પગનો રહેશે જેનું વજન 210 ટનનું હશે. તેમજ બીજા પથ્થર 56 ટનથી વધુ વજનના રહેશે.
ક્યાં સ્થાપિત કરાશે આ મૂર્તિ?
દાદાની આ મૂર્તિ મંદિરની હનુમાનજીની પાછળના ભાગમાં 100 ફૂટ દૂર રાખવામાં આવશે. હજુ મૂર્તિ બનવામાં 2થી 3 મહિનાનો સમય લાગશે. મૂર્તિનું વજન 500 ટન છે માટે 750 ટનની આસપાસનો ગ્રેફાઈટ વપરાશે. મૂર્તિ બનાવવા માટે 3.5 કરોડ રૂપિયાનો ખર્ચ આવી શકે છે.
આટલા શિલ્પીઓની મદદથી બનાવવામાં આવી રહી છે આ ખાસ મૂર્તિ
વિશાળ ક્રેન દ્વારા તેના અલગ અલગ પાર્ટ શિલ્પ શાસ્ત્ર અનુસાર લોક એન્ડ કી સિસ્ટમથી બનાવાશે. જેના કારણે કુદરતી આફતોમાં કોઈ નુકસાન થઈ શકશે નહીં. ઉલ્લેખનીય છે કે આ મૂર્તિ એટલી મજબૂત હશે તે આવનારા 1000 વર્ષ સુધી તે કાયમ રહી શકશે. આ મૂર્તિ બનાવવા માટે 80થી 100 શિલ્પીઓનો સમાવેશ કરાયો છે. દાદાની આ મૂર્તિ બનાવવા માટે જે ગ્રેનાઈટ વપરાઈ રહ્યો છે તેને લેબોરેટરી ટેસ્ટમાંથી પસાર કરવામાં આવી રહ્યો છે અને સાથે જ આ લેબ મંદિરમાં જ બનાવવામાં આવી છે.
અમદાવાદના આ વ્યક્તિ કરી રહ્યા છે સમગ્ર પ્લાનિંગ
આ ભવ્ય મૂર્તિનું નિર્માણ પરમ પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી અથાણાવાળાના સંકલ્પથી અને સાથે જ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીની દેખરેખમાં થઈ રહ્યું છે. આ મૂર્તિનું સંપૂર્ણ પ્લાનિંગ સ્ટ્રક્ચર શ્રી તેજસભાઈ (અમદાવાદ) દ્વારા કરવામાં આવી રહ્યું છે.