ઈલેક્શન ડેસ્કઃ આગામી મહિનામાં યોજાનાર લોકસભા ચૂંટણીમાં જમ્મુ કાશ્મીરની અનંતનાગ એક એવી બેઠક છે જ્યાં માત્ર એક જ બેઠક પર ત્રણ તબક્કામાં મતદાન થશે. અહીં તમામ ચૂંટણીઓ વખતે ખૂબ જ ઓછું મતદાન થતું હોય છે.
સૌથી વધુ આતંકી હુમલા
અનંતનાગમાં 16 વિધાનસભા બેઠક આવે છે, જેમાં પંપોર, પુલવામા અને શોપિયાં સામેલ છે. અહીં સૌથી વધુ આતંકી હુમલા થયા છે. પુલવામામાં ગત 14 ફેબ્રુઆરીએ થયેલા હુમલામાં સીઆરપીએફના 44 જવાન શહીદ થયા હતા. શોપિયાંમાં 2018માં 43 આતંકી મરાયા હતા. કાશ્મીરમાં 336 આતંકી સક્રિય છે, જેમાંથી 204 દક્ષિણ કાશ્મીરમાં મતલબ કે અનંતનાગવાળા હિસ્સામાં સક્રિય છે.
2016 પછી પેટાચૂંટણી પણ નહીં
2016 સુધી મહેબૂબા મુફ્તી અહીંના સાંસદ હતાં. પિતાના નિધન બાદ તેઓ સીએમ બન્યાં. બેઠક ખાલી પડી પણ કાયદો-વ્યવસ્થાની નબળી સ્થિતિના કારણે પેટાચૂંટણી પણ નથી થઇ. આતંકી બુરહાન વાનીના મોત બાદ સ્થિતિ વણસી. પેટાચૂંટણી બે વખત રદ થઇ.
માત્ર 1996ને બાદ કરતા મતદાન (%) માં અનંતનાગ હંમેશા પાછળ રહ્યું છે