'બમ બમ ભોલે' ના નારાંની સાથે શ્રદ્ઘાળુ બાબા બર્ફાનીના દર્શન માટે નીકળયા હતા. જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના સલાહકાર કે.કે. શર્માએ લીલી ઝંડી બતાવીને યાત્રીઓને રવાના કર્યા. યાત્રીઓ માટે સુરક્ષાને ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે.
Jammu: First batch of Amarnath Yatra flagged off from Jammu base camp by KK Sharma, Advisor to the Governor Satya Pal Malik, amidst tight security. #JammuAndKashmirpic.twitter.com/aMO8dMp60x
બાબા અમરનાથના દર્શન કરવા માટે નીકળેલા શ્રદ્ઘાળુઓએ કહ્યુ કે, ''તેમણે ભગવાન શિવ અને સેના પર વિશ્વાસ છે અને કોઇ પણ પ્રકારનો ડર નથી.'' યાત્રાના માર્ગ પર સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે. સુરક્ષાદળોની આવતા-જનારા તમામ લોકો પર ચાંપતી નજર રહેશે.
આ વર્ષની વાર્ષિક અમરનાથ યાત્રા 1 જૂલાઇથી શરૂ થઇને 15 ઓગસ્ટના સમાપ્ત થશે. તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી અમિત શાહે અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કર્યા પછી પોતાના 2 દિવસનો જમ્મૂ-કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો અને સુરક્ષાની સ્થિતિની તપાસ કરી.
આ પહેલા 9 જૂનના જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે અમરનાથ ગુફાની તરફ જનારા બાલતાલ અને પહલગામના માર્ગોનો હવાઇ પરીક્ષણ કર્યુ. રાજ્યપાલ સત્યપાલ મલિકના મુખ્ય સચિવ બીવી.આર.સુબ્રહ્મણ્યમ અને રાજ્યપાલના સલાહકાર કે.વિય કુમારની સાથે બાલતાલ-ડોમેલ-સંગમ-પંજતરની-શેષનાગ-ચંદાવડી-પહલગામ સહિતના અમરનાથ યાત્રા માર્ગનુ હવાઇ પરીક્ષણ કર્યુ.
જમ્મુના પોલીસ મહાનિરીક્ષક એમ.કે.સિન્હા એ કહ્યું કે ખતરાની આશંકાને ધ્યાનમાં રાખતા યાત્રા માર્ગ પર લખનપુર (જમ્મુ-કાશ્મીર માટે પ્રવેશ દ્વાર)થી લઇ આધાર શિબિરો, આશ્રય કેન્દ્ર, સામુદાયિક કિચન સ્થાનો પર પૂરતો બંદોબસ્ત કરાયો છે. તેમણે કહ્યું કે, યાત્રામાં અવરોધ ઉભો કરવાની આતંકવાદીઓની કોઇ યોજનાને લઇ ગુપ્ત માહિતી મળી નથી તેમ છતાં રાજ્યમાં હાલના સુરક્ષા પરિદ્રશ્યને જોતા કોઇપણ આતંકી પ્રયાસને નિષ્ફળ કરવા માટે સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.