દિલ્હીના ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ (Feroz Shah Kotla Stadium) નું નામ બદલી હવે અરુણ જેટલી સ્ટેડિયમ કરવામાં આવી રહ્યું છે. પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના નિધન બાદ દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘે (DDCA) સ્ટેડિયમનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે.
ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમનું નવું નામાકરણ 12 સપ્ટેમ્બરે એક સમારોહમાં કરવામાં આવશે. અરુણ જેટલી ડીડીસીએના અધ્યક્ષ રહ્યા છે. ડીડીસીએ અધ્યક્ષ રજત શર્માએ કહ્યું, 'એ અરુણ જેટલી (Arun Jaitley)નો સહયોગ અને પ્રોત્સાહન હતું જે વિરાટ કોહલી, વિરેન્દ્ર સહેવાગ, ગૌતમ ગંભીર, આશીષ નેહરા, ઋષભ પંત અને કેટલાક અન્ય ખેલાડીઓએ ભારતને ગૌરવ અપાવ્યું હતું. આપને જણાવીએ કે, ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમનું દિલ્હી સલ્તનતના શાસક ફિરોઝ શાહ તુગલકના નામ પર રાખવામાં આવ્યું હતું.
કોણ હતો ફિરોઝ શાહ
ફિરોઝ શાહ તુગલક દિલ્હી સલ્તનતમાં તુગલક વંશનો શાસક હતો. ફિરોઝ શાહ તુગલકનો જન્મ 1309માં થયો હતો. ફિરોઝ શાહ તુગલક 45 વર્ષની ઉંમરમાં દિલ્હી સલ્તનતની ગાદી પર બેઠા હતા. ફિરોઝ શાહ તુગલકે પોતાના શાસનમાં ચાંદીના સિક્કા બહાર પાડ્યા હતા. 1351માં તાજપોશીની સાથે જ તુગલકે પોતાની રિયાસતના તમામ દેવા માફ કરી દીધા હતા. ફિરોધ શાહે શાસક બન્યા બાદ ઘણા બધા એવા નિર્ણયો પાછા લઇ લીધા જે તેના પૂર્વ શાસકોએ લાદ્યા હતા. ફિરોઝ શાહ તુગલકે પોતાના પુત્ર ફતેહ ખાનના જન્મદિવસે ફતેહાબાદ શહેરની સ્થાપના કરી હતી.
ઇતિહાસકાર ફિરોઝાબાદને દિલ્હીનું પાંચમું શહેર માને છે. ફિરોઝના શાસનકાળમાં દાસોની સંખ્યા લગભગ 1,80,000 પહોંચી ગઇ હતી. એમની દેખરેખ હેતુ 'દીવાન-એ-બંદગાન' ની સ્થાપના કરી હતી. આપને જણાવી કે, હૌજ ખાસમાં ફિરોઝશાહ તુગલકનો મકબરો છે. ફિરોદશાહના શાસનમાં દિલ્હીમાં ઘણી મસ્જિદો પણ બનાવાઇ હતી.