રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વધુ એક ભારતીય વિદ્યાર્થી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. જેથી તેને તાત્કાલિક કીવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
કીવમાં વધુ એક ભારતીય વિદ્યાર્થી પર ફાયરિંગ થતા ઘાયલ
અગાઉ ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પાનું થયું હતું મોત
પંજાબના બરનાલાના એક 22 વર્ષના વિદ્યાર્થીનું પણ મોત
ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પાના મોત બાદ હવે યુક્રેનની રાજધાની કીવમાં વધુ એક ભારતીય વિદ્યાર્થી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ મામલે જનરલ વીકે સિંહે કહ્યું કે, 'કીવના એક વિદ્યાર્થીને ગોળી વાગી હોવાની જાણ થઈ છે અને તેને તાત્કાલિક કીવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.' યુદ્ધની સ્થિતિમાં બંદૂકની ગોળી કોઈ જ ધર્મ અને રાષ્ટ્રીયતાને નથી જોતી.
I received info today that a student coming from Kyiv got shot and was taken back midway. We're trying for maximum evacuation in minimum loss: MoS Civil Aviation Gen (Retd) VK Singh, in Poland#RussiaUkrainepic.twitter.com/cggVEsqfEj
તમને જણાવી દઈએ કે, વિદ્યાર્થીઓ હાલમાં યુદ્ધગ્રસ્ત દેશ યુક્રેનમાંથી સતત ભાગી રહ્યાં છે અને તેઓ ભારત પરત ફરવા માટે પોલેન્ડની સરહદે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ચાર કેન્દ્રીય મંત્રીઓ, હરદીપ સિંહ પુરી, જ્યોતિરાદિત્ય એમ સિંધિયા, કિરેન રિજિજુ અને જનરલ (નિવૃત્ત) વી.કે સિંહ યુક્રેનની નજીક આવેલા દેશોમાં સ્થળાંતરના પ્રયાસોની દેખરેખ રાખી રહ્યાં છે.
પંજાબના બરનાલાના એક 22 વર્ષના વિદ્યાર્થીનું પણ મોત
બીજી તરફ પંજાબના બરનાલા જિલ્લાના એક 22 વર્ષીય વિદ્યાર્થીનું પણ બુધવારનાં યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં મોત નિપજ્યું હતું. મગજમાં લોહીના પ્રવાહમાં અવરોધની બિમારી માટે લગભગ એક મહિનાથી તેની સારવાર ચાલી રહી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, 'ચંદન જિંદલને યુક્રેનના વિનિત્સિયા ઈમરજન્સી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. વિદ્યાર્થીના પરિવારે સરકારને તેના મૃતદેહને પરત લાવવા વિનંતી પણ કરી છે.'
બિડેને રશિયાને કરી ફાયરિંગ બંધ કરવા વિનંતી
યૂરોપના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ પર થયેલા હુમલા બાદ અમેરિકન રાષ્ટ્રપતિ જો બિડેને રશિયાને અપીલ કરી છે કે, પ્લાન્ટની આસપાસ ફાયરિંગ બંધ કરો અને આગ બુઝાવવા માટે ઈમરજન્સી સેવાઓને પોતાનું કામ કરવા દો.
બ્રિટને UNSC સાથે કરી આપાતકાલીન બેઠક બોલાવવાની માંગ
Zaporizhzhya ન્યુક્લિયર પ્લાન્ટ પર રશિયન હવાઈ હુમલાએ સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે. આ હુમલા બાદ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને પરમાણુ પ્લાન્ટ પર હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક પણ બોલાવી છે. અહેવાલો અનુસાર, ન્યુક્લિયર પ્લાન્ટમાં આગ ઓલવવા જઈ રહેલા યુક્રેનિયન સૈનિકોને પણ રશિયન સેનાએ રોકી દીધા છે.