વર્ષ 2020ના છેલ્લા દિવસે અમદાવાદમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. અમદાવાદના વસ્ત્રાલમાં કર્ણાવતી બંગ્લોઝ પાસે આવેલી રાધે ચેમ્બરમાં 3 રાઉન્ડ ફાયરિંગની ઘટના બની છે. આ ફાયરિંગમાં એક યુવકની હત્યાની કરવામાં આવી છે. રામોલ પોલીસે 2 આરોપીની અટકાયત કરી છે.
અમદાવાદમાં ફાયરિંગની ઘટના સામે આવી
વસ્ત્રાલની રાધે ચેમ્બરમાં ફાયરિંગમાં જસવંત રાજપૂતનું મૃત્યુ
પોલીસે 2 આરોપીની કરી અટકાયત
એક તરફ નવા વર્ષને વધાવવા લોકો આતુર છે તો બીજી તરફ અમદાવાદમાં ખુની ખેલ ખેલાયો છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના મત વિસ્તાર વસ્ત્રાલમાં ફરી એક વાર ફાયરિંગની ઘટના સામે આવી છે. વસ્ત્રાલમાં ફાયરિંગ દરમિયાન એક યુવક મોત થયું છે. પૈસના લેતીદેતીમાં હત્યા થઇ હોવાનું તારણ છે. આ મામલે રામોલ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે. હત્યા બાદ હત્યારો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે, અર્પણ જયપ્રકાશ પાંડે અને સુશીલસિંહ ઠાકુરની અટકાયત કરી લેવામાં આવી છે.
રામોલ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, જસવંત રાજપૂત નામના શખ્સ પર સિક્યોરિટીની ઓફિસમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં જસવંત રાજપૂતનું મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, અહીં 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.