અમૃતસરમાં કોંગ્રેસી નેતાએ શુક્રવારે સાંજે પોતાના સાથીઓ સાથે મળીને ચર્ચમાં અંધાધૂન ગોળીબાર કર્યો હતો. ગોળીબારની આ ઘટનામાં 1 વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો.
પંજાબના ચર્ચમાં કોંગ્રેસી નેતાએ કર્યું ફાયરિંગ
એક વ્યક્તિનું મોત, 1 ઘાયલ
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા રણદીપે પાસ્ટર પ્રિન્સને ચર્ચમાં રોકવામાં આવ્યો હતો. આ વાત પર રણદીપ નારાજ હતો. કેટલાક દિવસો પહેલા મામલો પુરો કરવા બંન્ને વચ્ચે સમજૂતી થઇ હતી. પરંતુ શુક્રવારે રણદીપે ચર્ચમાં ઘૂસીને ફાયરિંગ કર્યું હતું.
આંતરિક વિખવાદને કારણે થયું ફાયરિંગ
મૃતક પ્રિન્સના પરિવારજનોએ જણાવ્યું કે, રણદીપ બાબા ખેતરપાલજી શક્તિદળ ઓલ ઇન્ડિયના ચેરમેન પણ છે. તેમણે ચર્ચમાં ફાયરિંગ કર્યું હતું. પ્રિન્સનું હોસ્પિટલ લઇ જતી વખતે મોત નીપજ્યું હતું. જ્યારે પ્રિન્સનો ભાઇ ગંભીર રીતે ઘાયલ થયો હતો. નોંધનીય છે કે, આંતરિક વિખવાદ બાદ લોહીયાળ જંગ ખેલાયો હતો.