કોરોના વાયરસ વિરૂદ્ધની જંગમાં પ્રધાનમંત્રી મોદીની અપીલને પગલે 5 એપ્રિલની રાતે 9 વાગે 9 મિનિટ સુધી દીવો અને મીણબત્તી તથા ટોર્ચ કરીને સૌએ એકતાનો સંદેશ આપ્યો હતો. આ તમામ ઘટના વચ્ચે ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાના ભાજપના મહિલા મોરચાના જિલ્લાધ્યક્ષ મંજૂ તિવારીએ કોરોના ભગાડવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું.
કોરોના વિરૂદ્ધ જંગમાં પ્રધાનમંત્રીએ લોકોને દીપ પ્રગટાવવાની કરી અપીલ
ઉત્તર પ્રદેશ ભાજપના નેતાએ હવામાં કર્યા ગોળીબાર
વીડિયો થયો વાયરલ
ઉલ્લેખનીય છે કે, તેમણે આ મામલે કહ્યું કે, ઉત્સાહમાં આવીને હવામાં ગોળીબાર કર્યો હતો. આ સાથે જ તેમણે પોતાનો હવામાં ફાયરિંગ કરતો વીડિયો ફેસબુક પર પણ શેર કર્યો હતો. જો કે, વીડિયો વાયરલ થયાં બાદ વિવાદ સર્જાતા તેમણે આ ઘટના અંગે માફી માગી હતી.
Balrampur: BJP leader Manju Tiwari booked for firing in the air around 9 PM yesterday. "I saw the entire city illuminating with candles & earthen lamps. I felt like it was Diwali & fired in the air out of jubilation. I accept my mistake & apologise for it," the leader says. pic.twitter.com/cn1rqrzSTv
ભાજપ મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ મંજુ તિવારીએ આ ઘટના અંગે સ્પષ્ટતા કરીને લોકોની માફી માંગી હતી. તેણીએ કહ્યું કે ગઈકાલે જ્યારે હું ઘરની બહાર નીકળ્યો ત્યારે તેને દિવાળી જેવો માહોલ લાગ્યો. આથી તેણી ઉત્સાહિત થઈને હવામાં ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાને લઇને હું ખૂબ જ શરમ અનુભવું છું અને હવે ફરીથી આવી ભૂલો નહીં કરીશ.
કોંગ્રેસે કર્યા આકરા પ્રહાર
कानून तोड़ने में सबसे ज्यादा आगे भाजपा नेता ही रहते हैं। कल पीएम की अपील थी दिया जलाने की लेकिन देखिए कैसे भाजपा नेता व बलरामपुर भाजपा महिला मोर्चा की अध्यक्ष ने खुलेआम प्रदर्शन के लिए फायरिंग की और वीडियो फेसबुक पर डाला।
योगी आदित्यनाथ इस पर कार्यवाही करेंगे क्या? pic.twitter.com/W9IioUsYXh
આ મામલે ઉત્તર પ્રદેશ કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે કાયદો તોડવામાં ભાજપના નેતાઓ મોખરે છે. ગઈકાલે વડા પ્રધાનની અપીલ હતી કે દીપ પ્રગટાવવામાં આવે, પરંતુ જુઓ કે કેવી રીતે ભાજપના નેતા તથા બલરામપુર ભાજપ મહિલા મોરચાના પ્રમુખે પ્રદર્શન માટે ખુલ્લેઆમ ફાયરિંગ કરી અને વીડિયો ફેસબુક પર મૂક્યો. શું યોગી આદિત્યનાથ આ અંગે કાર્યવાહી કરશે?