પંજાબના તરનતારનમાં જિલ્લામાં શનિવારે ધાર્મિક શોભાયાત્રા દરમિયાન ફટાકડા ફોડવાના બનાવમાં 14 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે જ આ દુર્ઘટનામાં 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, મૃત્યુઆંક વધી શકે છે. પંજાબ પોલીસે ઘટનાની પુષ્ટિ કરી છે. પોલીસે જણાવ્યું કે આ ફટાકડા નગર કીર્તન (ધાર્મિક શોભાયાત્રા) દરમિયાન ટ્રેક્ટર-ટ્રોલી પર લઈ જવામાં આવ્યાં હતાં.
તરનતારન જિલ્લામાં ધાર્મિક શોભાયાત્રા દરમિયાન વિસ્ફોટ
અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર
ધાર્મિક શોભાયાત્રા દરમ્યાન ફટાકડાથી ભરેલી ટ્રોલીમાં બ્લાસ્ટ
14 ના મોત, આટલા ઘાયલ
પંજાબના આઈજીપી (બોર્ડર) એસપીએસ પરમારે કહ્યું હતું કે, બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે ઘણાં લોકો ઘાયલ થયા છે. નવી માહિતી અનુસાર, મૃતકોની સંખ્યા વધીને 14 થઈ ગઈ છે અને આશંકા છે કે આ સંખ્યા હજી વધી શકે છે.
પરમારે જણાવ્યું કે, ધાર્મિક શોભાયાત્રા દરમિયાન લોકો ફટાકડા ફોડી રહ્યા હતા. એટલી મોટી સંખ્યામાં ફટાકડા ટ્રેક્ટર-ટ્રોલીમાં રાખવામાં આવ્યા હતા કે, ચિંગારી પહોંચતા જ વિસ્ફોટ થયો અને તે બાદ ટ્રેક્ટર-ટ્રોલીમાં ભયાનક આગ લાગી હતી.