સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડની ગોઝારી યાદો જનમાનસમાંથી હજુ વિસરાઈ નથી. ત્યારે તેના એક મહિનાના ટૂંકા ગાળામાં જ સુરત મહાનગરપાલિકાની અને ફાયરબ્રિગેડની કવાયતોની પોકળતા ઊઘાડી પાડતી ઘટના સર્જાઈ હતી. ભટાર વિસ્તારમાં આવેલા આઝાદનગર ખાતેના બાલક્રિષ્ના કોમ્પલેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પ્લાસ્ટિકના સામાનની દુકાનમાં લાગેલી આગે જોત જોતામાં એવું તો વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે, કારખાના ઉપર જ ચાલતી જ્ઞાન ગંગા સ્કૂલના વિદ્યાર્થીઓની સલામતીની ચિંતા થવા લાગી.
સુરત (Surat) નાં સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશીલા આર્કેડમાં લાગેલી આગમાં અનેક વિદ્યાર્થીઓ હોમાઈ ગયાની કમનસીબ ઘટનાની યાદો હજુ તાજી છે ત્યાં એક મહિનાના ટૂંકા ગાળામાં જ ફરી વાર સુરતમાં સ્કૂલની અડોઅડ આગની ઘટના સામે આવી છે. આગ (Fire) ની આ ઘટનાએ સુરત મ્યુનિસિપલતંત્ર અને ફાયર વિભાગની કામગીરીની પોકળતા ખૂલી પાડી દીધી છે. જોઈએ આ અહેવાલમાં.
સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડની ગોઝારી યાદો જનમાનસમાંથી હજુ વિસરાઈ નથી. ત્યારે તેના એક મહિનાના ટૂંકા ગાળામાં જ સુરત મહાનગરપાલિકાની અને ફાયરબ્રિગેડની કવાયતોની પોકળતા ઊઘાડી પાડતી ઘટના સર્જાઈ હતી. ભટાર વિસ્તારમાં આવેલા આઝાદનગર ખાતેના બાલક્રિષ્ના કોમ્પલેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પ્લાસ્ટિકના સામાનની દુકાનમાં લાગેલી આગે જોત જોતામાં એવું તો વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે, કારખાના ઉપર જ ચાલતી જ્ઞાન ગંગા સ્કૂલના વિદ્યાર્થીઓની સલામતીની ચિંતા થવા લાગી.
પ્લાસ્ટિકના કારખાનામાં લાગેલી આગે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં નવો ફફડાટ ઊભો કરી દીધો. ઘડી વાર માટે કોમ્પલેક્સમાં રહેલા દોઢસો જેટલા વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી ગઈ. એક તરફ આગકાંડમાં નાસભાગ મચી હતી તો બીજી તરફ જવાબદાર અધિકારીઓ મીડિયા આગળ કશું બોલવા તૈયાર ન હતાં.
પ્લાસ્ટિકનાં કારખાનામાં લાગેલી આગની ઘટના બાદ ફાયર વિભાગે જ્ઞાનગંગા હિન્દી વિદ્યાલયનાં સંચાલક સામે ફરિયાદ નોંધવાનું નક્કી કરીને આશ્ચર્ય ફેલાવ્યું છે. ફાયર વિભાગનું કહેવું છે કે સ્કૂલમાં ફાયર સેફ્ટીના અભાવ હોવાથી તેના સામે ફરિયાદ નોંધાવવામાં આવશે. પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હતી. ત્યારે ગોડાઉનની બાજુમાં આવેલ બાલકૃષ્ણ કોમ્પલેક્ષમાં જ્ઞાનગંગા હિન્દી વિદ્યાલયમાં 150 જેટલા વિદ્યાર્થીઓ હતાં.
જો કે ફાયર વિભાગે વિદ્યાર્થીઓને સહી સલામત રીતે શાળાની બહાર કાઢ્યા હતાં. પરંતુ ફાયરબ્રિગેડને સ્કૂલમાં ફાયર સેફ્ટિનાં યોગ્ય સાધનો ન મળ્યા કે ફાયરની એનઓસી પણ ન મળી જેના કારણે સ્કૂલને સીલ કરી દેવામાં આવી છે. પરંતુ સવાલ આગ ઓલવવાનો કે સીલ મારવોનો નથી. અહીં સવાલ એ છે કે? શું સુરત મ્યુનિસિપલ તંત્રએ તક્ષશિલા અગ્નિકાંડ બાદ પણ કોઇ બોધપાઠ નથી લીધો?
શું તક્ષશિલા અગ્નિકાંડ બાદ તંત્રએ તપાસના નામે માત્ર નાટક જ કર્યું છે? ફેક્ટરી નીચે ચાલતી હતી તો ફેક્ટરી પર સ્કૂલ કેવી રીતે ચાલી રહી હતી? આખે આખી સ્કૂલ ગેરકાયદેસર રીતે ચાલી રહી હતી તો શિક્ષણવિભાગ શું કરતો હતો? શાળાને જોખમી કારખાના ઉપર ચલાવાની પરવાનગી કોને આપી? આવા અનેક સવાલ ઊભા થઈ રહ્યાં છે. પરંતુ સરકાર આવા સવાલોના સચોટ જવાબ આપવાના બદલે સમાધાની નિવેદનો આપીને છટકી રહી છે.
હાલ તો ફાયર સેફ્ટી (fire safety) ના સાધનો નહી હોવાનો આક્ષેપ કરીને સ્કૂલને જ તાળું મારી દેવામાં આવ્યું છે..પરંતુ જે કારખાનામાં જેના કારણે આગ લાગી છે તે બાબતે કોઈ અધિકારી કે સત્તામાં બેઠેલા લોકો કશું બોલતા નથી. કોમ્પલેક્સના જે કારખાનામાં આગ લાગી તે મુકેશ નામના કોઈ કોર્પોરેટરનું કારખાનું ભાગીદારીમાં ચાલતું હોવાની માહિતી મળી રહી છે. કોર્પોરેટરે પોતાની સત્તાનો ઉપયોગ કરીને આ કારખાનું શરૂ કરાવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ તેના વિશે બોલવા કોઈ તૈયાર નથી અને પોલીસ પણ જાણે દબાણમાં આવીને તપાસ કરવાનું નિવેદન કરી આપી રહી છે.
તક્ષશીલા કાંડ સર્જાયાનાં એક મહિનામાં જ બાળકોના જીવનો ભોગ લઈ લે તેવી આગની આ બીજી ઘટના બની છે. છતાં સરકાર તંત્ર કહે છે બાળકોનાં જીવ બચાવવો તે અમારી પ્રાયોરિટી છે. પરંતુ વિદ્યાર્થીઓની લગોલગ રહેલા આવી જોખમી બાબતોને દૂર કરવાનાં પ્રયાસમાં તંત્ર એક માસ બાદ પણ વામણું જ સાબિત થયું છે. કદાચ વાલીઓમાં આગ કરતાં પણ પ્રબળ ગુસ્સો ફાટી નીકળે તે પહેલા તંત્રએ યોગ્ય પગલાં લેવા જ રહ્યાં.