બેદરકારી / સુરતમાં ઉંઘતા તંત્ર પાછળ બાળકોનો જીવ જોખમમાં! તક્ષશિલાકાંડ બાદ પણ પરિસ્થિતિ ઠેરની ઠેર

Fire in Surat Plastic factory under gyanganga school, 150 students rescue

સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડની ગોઝારી યાદો જનમાનસમાંથી હજુ વિસરાઈ નથી. ત્યારે તેના એક મહિનાના ટૂંકા ગાળામાં જ સુરત મહાનગરપાલિકાની અને ફાયરબ્રિગેડની કવાયતોની પોકળતા ઊઘાડી પાડતી ઘટના સર્જાઈ હતી. ભટાર વિસ્તારમાં આવેલા આઝાદનગર ખાતેના બાલક્રિષ્ના કોમ્પલેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પ્લાસ્ટિકના સામાનની દુકાનમાં લાગેલી આગે જોત જોતામાં એવું તો વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે, કારખાના ઉપર જ ચાલતી જ્ઞાન ગંગા સ્કૂલના વિદ્યાર્થીઓની સલામતીની ચિંતા થવા લાગી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ