સુરતના રઘુવીર માર્કેટમાં 12 કલાક વિત્યા બાદ પણ હજુ સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નથી. આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ફાયર વિભાગ દ્વારા અત્યાર સુધી આગને કાબૂમાં લેવા માટે કરોડો લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે. ત્યારે હવે ફાયર વિભાગના જવાનોને બિલ્ડીંની અંદર મોકલીને કામગીરી કરવામાં આવી છે.
સમગ્ર બિલ્ડીંગમાં વિકરાળ આગ
300 કરોડના નુકશાનનો અંદાજ
120થી વધુ દુકાનો સળગી ગઈ છે
સુરતમાં રઘુવીર સિલીયમમાં આજે વહેલી સવારે 3 વાગ્યાથી આગ લાગેલી છે, જે આગ હજુ પણ કાબુમાં આવી નથી. સવારથી 20થી વધારે ફાયર વિભાગની ટીમ કામે લાગી છે. પણ હજુ સુધી આગને કાબુમાં લાવવા માટે કોઈ સફળતા મળી નથી. સમગ્ર બિલ્ડીંગમાં આગ પ્રસરતા 300કરોડ થી વધુંનું નુકશાન થયનો અંદાજ છે. અને NDRFની ટીમને સ્ટેન્ડબાય કરાઈ છે. વહેલી સવારથી અત્યાર સુધી 3 કરોડ લિટરના પાણી મારો કરાયો છે. પરંતુ હજુ સુધી આગ કાબુમાં આવી નથી.
સુરતમાં મોડી રાત્રે લાગેલી આગના કારણે 14 માળનું આખું બિલ્ડીંગ સળગી ગયું છે. વેન્ટીલેશન ન હોવાને કારણે પરિસ્થિતિ ગંભીર બની છે. વેન્ટીલેશન ન હોવાને કારણે વરાળ બહાર નીકળી શકતી નથી. અને જેના કારણે દુકાનોમાં સતત બ્લાસ્ટ થઈ રહ્યાં છે.
આગ કેમ વિકરાળ બની?
વેંટીલેશનના અભાવે આગ વિકરાળ બની છે. એલિવેશનના કારણે ફાયરની ટીમને ભારે જહેમત ઉઠાવી પડી રહી છે. બાંધકામની મંજૂરી SUDA દ્વારા આપવામાં આવી હતી. એ.બી.વાઘણી રઘુવિર સિલિયમ માર્કેટના આર્કિટેક્ટ છે. રઘુવીર ડેવલોપર્સ દ્વારા માર્કેટ બનાવવામાં આવી છે.