અમદાવાદમાં કાપડ બનાવતી ફેક્ટરીમાં રવિવારે રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. પીપળજ-પિરાણા રોડ પર કમલ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં આગ લાગી હતી. જેમાં 15થી વધુ ફાયર ફાયટરોનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણી મારો શરૂ કર્યો હતો. કમલ ઈન્ડ્રસ્ટીમાં અચાનક આગથી નાસભાગ થઇ ગઇ હતી.
આ આગ પીરાણા-પીપળજ રોડ પર આવેલ કમલ ઇન્ડસ્ટ્રીઝમાં લાગી હતી. ત્યારે 15 ફાયર ફાયટરોના કાફલા સાથે અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મહત્વનું છે કે 90થી વધુ કર્મચારીઓ દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઇ હતી.
જોકે મહદઅંશે આગ પર કાબૂ મેળવી લેવાયો છે. આ આગ ક્યા કારણોથી લાગી તેની તપાસ શરૂ કરવામાં આવી છે. આગ લાગતા મોટું નુકસાન થયું હોવાની સંભાવના સેવાઇ રહી છે.