સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આગમ આર્કેડમાં આગ લાગવાની ઘટનામાં બે લોકોના મોત થયા બાદ પોલીસ સફાળી જાગી છે.પોલીસે આ મામલે ટ્યુશન ક્લાસિસના સંચાલકો વિરુદ્ધ સરકાર તરફથી ફરિયાદ નોંધાવી છે.
પોલીસે ટ્યુશન ક્લાસિસના સંચાલક વિરુદ્ધ બેદરકારી બદલ IPC કલમ 304 હેઠળ ફરિયાદ દાખલ કરાવી છે. મહત્વનું છે કે વેસુ વિસ્તારમાં આગમ આર્કેડમાં આગ લાગતાં ક્યુરિયસ માઈન્ડ એકેડમીમાં વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા.
અને ધૂમાડો નીકળવાની જગ્યા ન હોવાથી ગુંગળામણ થવાથી વિદ્યાર્થી અને શિક્ષકનું મોત નિપજ્યું છે. આ મામલે પોલીસે સંચાલક વિવેક મિશ્રા અને પ્રભાતસિંહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આગમ આર્કેડમાં ભીષણ આગનો બનાવ બન્યો હતો. આગના કારણે સમગ્રવિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મોલના પહેલા માળે આગ લાગી હતી. વેસુમાં આગમ આર્કેડમાં આગની ઘટનામાં બુધવારે મોડીસાંજે બીજું મોત થયું હતું. જો કે તે પહેલા એક 7 વર્ષના બાળકનું મોત થયું હતું.