ભરૂચના અંકલેશ્વર રાજપીપળા રોડ પર ભંગારના એક ગોડાઉનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો. ભંગારના ગોડાઉનમાં આગ લાગતા આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જે બાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
જો કે, ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ લાગતા સમગ્ર ગોડાઉનમાં રહેલો માલસામાન બળીને ખાખ થયો હતો. આમ તો સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પણ આ આગ અસમાજીક તત્વો દ્વારા લગાડવામાં આવી હોય તેવું અનુમાન છે.
આગના બનાવોમાં દિવસેને દિવસે થઇ રહ્યો છે વધારો
છેલ્લા કેટલાક સમયગાળાથી આગના બનાવો વધી રહ્યા છે ત્યારે વધુ એક બનાવ આજરોજ સામે આવ્યો હતો. ભરૂચના અંકલેશ્વર-રાજપીપળા રોડ પર આવેલ ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બનતા અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો.
જો કે, આગ લાગવાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું. જો કે, આ ઘટના અંગેની જાણ નજીકના ફાયર સ્ટેશને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે તાત્કાલિક અસરથી આવી પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવતા આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.