સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ ભભૂકી ઉઠી હતુ, સદનસીબે સારવાર લઈ રહેલા તમામ દર્દીઓને બચાવી લેવાયા છે.
શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા
આગ પર કાબૂ મેળવાયો
કોવિડ વોર્ડમાં 15 જેટલા દર્દીઓ લઈ રહ્યા હતા સારવાર
સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ લાગવાની દૂર્ઘટના સામે આવી છે. આગની ઘટનાને કારણે અફરાતફરી મચી ગઈ હતી. પરંતુ સદ્નનસીબે કોવિડ વોર્ડમાં સારવાર લઈ રહેલા તમામ દર્દીઓને બચાવી લેવામાં આવ્યા છે.
શોટસર્કિટને કારણે લાગી આગ
કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓએ ભાગવું પડ્યું હતુ. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે.
તમામ કોરોના સંક્રમિત દર્દીઓનો આબાદ બચાવ
અચાનક હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ ભભૂકી ઉઠી હતી જેને પરિણામે તુરંત જ બચાવ કામગીરી હાથ ધરાઈ હતી અને 15 દર્દીઓ જે સારવાર હેઠળ હતા તે તમામને આબાદ બચાવી લેવાયા છે.
સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો, શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા, કોવિડ વોર્ડમાં 15 જેટલા દર્દીઓ લઈ રહ્યા હતા સારવાર#surendranagar#Gujarat