ગઈકાલે મોડી રાતે સુરતમાં કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી જેમાં 15 જેટલા દર્દીઓ ફસાયા હતા, ફાયર વિભાગે તુંરત જ મદદે આવી દર્દીઓને બચાવી લીધા હતા અને મોટી જાનહાની ટળી હતી.
સુરતની કોવિડ હોસ્પિટલમાં આગ
ફાયરબ્રિગેડે ત્વરીત કાર્યવાહી કરી મેળવ્યો કાબૂ
દર્દીઓેને સિવિલ અને સ્મિમેરમાં ખસેડાયા
સુરતની લાલ દરવાજા સ્થિત આયુષ હોસ્પિટલમાં આગ લાગી હતી જેમાં 1 દર્દીનું મૃત્યુ થયુ છે. મૃતક દર્દી કોરોનાની સારવાર હેઠળ હતા. જેમાંથી 8 દર્દીને સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. મૃતક દર્દી બાઇપેપ પર સારવાર હેઠળ હતા.
સુરતની કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બની છે. ડોક્ટર હાઉસ પાસે આવેલી આયુષ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગી હતી. 5 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આયુષ હોસ્પિટલ સુરતના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી છે.
કેમ લાગી હતી આગ
પાંચમા માળે ACમાં બ્લાસ્ટ થતાં ICUમાં આગ લાગી હતી. જેની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. હોસ્પિટલમાં દાખલ 15 જેટલા દર્દીને સલામત રીતે બહાર કાઢી લેવાયા હતા. અને દર્દીઓને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડે તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લીતે મોટી જાનહાની ટળી હતી.