રાજકોટમાં ગઈકાલે મોડી રાતે લાગેલી આગમાં 5 લોકોના મોત થયા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ અંગે ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યુ હતુ.
PM મોદીએ રાજકોટ હોસ્પિટલ દુર્ઘટના મામલે કર્યું ટ્વીટ
5 લોકોના મૃત્યુ અંગે દુઃખ વ્યક્ત કર્યું
મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવું છું: PM
PM Modi પણ ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યુ છે.
Extremely pained by the loss of lives due to a hospital fire in Rajkot. My thoughts are with those who lost their loved ones in this unfortunate tragedy. Praying for a quick recovery of the injured. The administration is ensuring all possible assistance to those affected: PM
રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા 5 લોકોના મોત થયા છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ 33 કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. બચાવી લેવાયેલા અન્ય દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. .
આગની ઘટનામાં 5ના મોત
ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ICUમાં મોડી રાત્રે લાગેલી આગમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓમાંથી 5ના મોત થયા છે. કેટલાક દર્દીઓતો પોતોના બેડમાંથી ઉભા પણ થઇ શક્યા ન હતાં અને બેડ સાથે જ ભડથું થઇ ગયા હતાં.