રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગનો મામલો સામે આવ્યો છે. આગની ઘટનાને રાજકોટ મેયરે કુદરતી ઘટના ગણાવી છે. મેયર બીનાબેન આચાર્યએ ઉલટા પોતાની ટીમના વખાણ કરતા હોય તેમ બેદરકારોને બચાવવાના પક્ષમાં ઉતર્યા હોય તે પ્રકારના નિવેદનો આપી રહ્યા છે.
હોસ્પિટલમાં બેદરકારીની આગ
મેયરે ગણાવી કુદરતી ઘટના
મેયર આગની ઘટના પર નથી ગંભીર
મેયર બીનાબેન આચાર્યનું કહેવું છે કે, મોટી જાનહાની ટળી ગઈ છે. ફાયર સેફ્ટીના તમામ સાધનો હતા જેથી અન્ય લોકોને બચાવી શકાયા છે. તે શું 5 લોકોના મોત થયેલા તેમી જીવતી ભૂંજાયેલી લાશો મેયરને નહીં દેખાતી હોય? મેયર મૃતકોના પરિવારને સાંત્વના પાઠવવામાંથી પણ ગયા હતા.
5 લોકોના મોત એકની હાલત ગંભીર
રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા 5 લોકોના મોત થયા છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ 33 કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. બચાવી લેવાયેલા અન્ય દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. .
આગની ઘટનામાં 5ના મોત
ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ICUમાં મોડી રાત્રે લાગેલી આગમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓમાંથી 5ના મોત થયા છે. કેટલાક દર્દીઓતો પોતોના બેડમાંથી ઉભા પણ થઇ શક્યા ન હતાં અને બેડ સાથે જ ભડથું થઇ ગયા હતાં.