રાજકોટમાં ગઈકાલે કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 5 લોકોના મોત થયા હતા ત્યારે ગુજરાતમાં હોસ્પિટલમાં આગની ઘટનાને પગલે પોલીસ અને ઉચ્ચ અધિકારીઓની બેઠક મળીને આ અંગે તપાસ હાથ ધરી હતી જેમાં ACS એ કે રાકેશનું નિવેદન સામે આવ્યું છે.
રાજકોટમાં અગ્નિકાંડ બાદ સફાળું જાગ્યું તંત્ર
પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની મળી બેઠક
અધિકારીઓ સાથે બેઠક બાદ ACS એ.કે.રાકેશનું નિવેદન
રાજકોટમાં અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. અધિકારીઓ સાથે બેઠક બાદ ACS એ.કે.રાકેશે કહ્યું કે FSL રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. હોસ્પિટલના સ્ટાફને ટ્રેનિંગ અપાશે.
ઇલેક્ટ્રીકલ એન્જિનિયરના રિપોર્ટ પણ આવવાનો બાકી છે. FSLના રિપોર્ટ બાદ સ્પાર્કનું સાચુ કારણ બહાર આવશે. ક્યા વેન્ટિલેટરમાંથી સ્પાર્ક થયો તે ચોક્કસ કહી શકાય નહીં. ઓક્સિજન લીકેજની પણ શક્યતાને નકારી શકાય નહીં. સમગ્ર ઘટનાનો ફાઈનલ રિપોર્ટ બે દિવસમાં આવશે. વાયરિંગ પ્રોપર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ચોક્કસ કારણ બાદ ઉદય કોવિડ હોસ્પિટલ સામે કાર્યવાહી થશે.
ACS એ.કે.રાકેશે શું કહ્યું?
રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર એક્શનમાં
પોલીસ અને વહીવટી તંત્રની બેઠક
FSLના રિપોર્ટને આધારે તપાસ
હોસ્પિટલ સ્ટાફને અપાશે ટ્રેનિંગ
ઇલેક્ટ્રીકલ એન્જિનિયરના રિપોર્ટને આધારે તપાસ
FSLના રિપોર્ટ બાદ સ્પાર્કનું સાચુ કારણ બહાર આવશે
`ક્યા વેન્ટિલેટરમાંથી સ્પાર્ક થયો તે ચોક્કસ ન કહી શકાય'
`ઓક્સિજન લીકેજની પણ શક્યતા નકારી ન શકાય'
"સમગ્ર ઘટનાનો ફાઈનલ રિપોર્ટ બે દિવસમાં આવશે"
"વાયરિંગ પ્રોપર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું"
"ચોક્કસ કારણ બાદ ઉદય કોવિડ હોસ્પિટલ સામે કાર્યવાહી થશે