રાજકોટ કોવિડ હોસ્પિટલમાં લાગેલ આગમાં 5 જણાના મોત થયા છે ત્યારે પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમના હૈયાફાટ રૂદને હૃદયદ્રાવક દ્રશ્યો સર્જયા હતા.
ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગનો મામલો
મૃતકોના પરિવારજનો શોકાતુર
હોસ્પિટલ તંત્ર પર બેદરકારીનો આક્ષેપ
મૃતકોના પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ઉંઘમાં જ કોરોનાના સારવાર લઈ રહેલા દર્દીઓને રાતે આગ ભરખી ગઈ છે. 5 દર્દીના મોત થયા છે. ત્યારે પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. પરિવારજનનું આક્રંદ જોવા મળ્યું હતુ. એટલું જ નહીં પરંતુ મૃતકના પરિવારજનોએ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ પણ લગાવ્યા હતા. આવી બેદરકાર હોસ્પિટલને કોણ મંજૂરી આપી? હોસ્પિટલો લાખો રૂપિયા પડાવે છે. મૃતકોને હોસ્પિટલમાંથી નીકળવાનો સમય પણ ન મળ્યો.
આ અંગે CM રૂપાણીએ પણ તપાસના આદેશ આપ્યા છે.
રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા 5 લોકોના મોત થયા છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ 33 કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. બચાવી લેવાયેલા અન્ય દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
આગની ઘટનામાં 5ના મોત
ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ICUમાં મોડી રાત્રે લાગેલી આગમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓમાંથી 5ના મોત થયા છે. કેટલાક દર્દીઓતો પોતોના બેડમાંથી ઉભા પણ થઇ શક્યા ન હતાં અને બેડ સાથે જ ભડથું થઇ ગયા હતાં.