ICU વોર્ડમાં જ આગની અસર થઈ છે. 1 કલાકમાં આગ પર કાબુ મેળવાયો હતો. ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી. અને મનપા અધિકારીઓ પણ પહોંચી ગયા હતા. આગની દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે. 26 દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડાયા છે. એ કે રાકેશ રાજકોટ જવા રાવાના થયા છે અને સીએમ રૂપાણીએ ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે. હોસ્પિટલ પાસે ફાયર એનઓસી હતુ એટલે સેફ્ટીના સાધનોનો અભાવે દૂર્ઘટના થઈ હોય તેવુ નથી લાગતુ. યોગ્ય તપાસ બાદ ચોક્કસ દોષિતો સામે પગલા લેવાશે. તપાસ રિપોર્ટને આધારે કાર્યવાહી કરવામાં આવશે.
5 લોકોના મોત એકની હાલત ગંભીર
રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા 5 લોકોના મોત થયા છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ 33 કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. બચાવી લેવાયેલા અન્ય દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. .
આગની ઘટનામાં 5ના મોત
ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ICUમાં મોડી રાત્રે લાગેલી આગમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓમાંથી 5ના મોત થયા છે. કેટલાક દર્દીઓતો પોતોના બેડમાંથી ઉભા પણ થઇ શક્યા ન હતાં અને બેડ સાથે જ ભડથું થઇ ગયા હતાં.