રાજકોટમાં બનેલા ગોઝારા અગ્નિકાંડમાં માનવતા મહોરી ઉઠી હતી. અજય વાઘેલા નામના કર્મચારીએ 7 દર્દીઓના જીવ બચાવ્યા હતા.
આગની ઘટનામાં દર્દીઓ માટે મસિહા બન્યો કર્મચારી
અજય વાઘેલા નામના કર્મીએ 7 લોકોના જીવન બચાવ્યા
કોવિડના 7 દર્દીઓને ખભા પર ઉચકી આગાશી પર લઇ ગયો
આગની ઘટનામાં દર્દીઓ માટે એક કર્મચારી દેવદૂત બનીને આવ્યો હતો. અજય વાઘેલા નામના કર્મચારીએ 7 લોકોના જીવ બચાવ્યો છે. કોરોનાગ્રસ્ત 7 દર્દીઓને ઉંચકીને ખભા પર લઈ ગયો હતો. દર્દીઓને વારાફરતી આગાસીમાં સલામત જગ્યાએ પહોંચાડ્યા હતા.
શું કહે છે અજય
અજય વાઘેલા જણાવે છે કે, અમુક દર્દીઓનું વજન વધુ હતું. ઊંચકીને બે માળ ચઢી શકાય એવી સ્થિતિ ન હતી. આમ છતાં ભગવાનનું નામ લઈને કોરોનાના દર્દીને ખભા પર ઊંચકીને વારાફરતી છેક અગાશી સુધી મૂકી આવ્યો હતો. આ સાતે સાત દર્દીનો બચાવ થયો હતો. આગ કાબૂમાં આવ્યા બાદ આ સાતેય દર્દીને ગોકુલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સરકારી અધિકારીઓએ અજય વાઘેલાની બહાદુરી અને હિંમતની ભારોભાર પ્રશંસા કરી હતી.
રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા 5 લોકોના મોત થયા છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ 33 કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. બચાવી લેવાયેલા અન્ય દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે પોલીસ કમિશનર અને મેયર ઘટનાસ્થળે પહોંચ્યા. મધરાતે 12.20 વાગ્યે ફાયરબ્રિગેડને આગ લાગવાનો પહેલો કોલ આવ્યો હતો.
આગની ઘટનામાં 5ના મોત
ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ICUમાં મોડી રાત્રે લાગેલી આગમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓમાંથી 5ના મોત થયા છે. કેટલાક દર્દીઓતો પોતોના બેડમાંથી ઉભા પણ થઇ શક્યા ન હતાં અને બેડ સાથે જ ભડથું થઇ ગયા હતાં.