જૂનાગઢના કેશોદ કોર્ટની પાછળ રધુવીર ઓઇલ મીલમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આ આગમાં પીલાણ માટે રાખવામાં આવેલ 75 ટન રાયડો બળીને ખાખ થઇ ગયો છે.
જૂનાગઢના કેશોદ કોર્ટની રઘુવીર ઓઇલ મીલમાં ભીષણ આગ
ભીષણ આગના કારણે 1 કરોડથી પણ વધુ કિંમતનું મોટું નુકસાન
મીલની અંદર રહેલો 75 ટન રાયડો બળીને ખાખ
જૂનાગઢના કેશોદ કોર્ટની રઘુવીર ઓઇલ મીલમાં લાગેલી ભીષણ આગના કારણે 1 કરોડથી પણ વધુ કિંમતનું મોટું નુકસાન થયું છે. જો કે, તુરંત આ ઘટનાની જાણ પાલિકાની ફાયર ટીમે કરાતા ફાયરની ટીમે ઘટનાસ્થળે જઇને આગ પર કાબુ મેળવી દીધો હતો.
ઘટનાની જાણ થતા જ ફાયરની ટીમને ઘટનાસ્થળે બોલાવી લેવાઇ
જો કે, આ આગ કયા કારણોસર લાગી હતી તેનું કારણ હજુ સુધી પણ સામે નથી આવ્યું. તેમજ સદનસીબે આ આગમાં કોઇ પણ પ્રકારની જાનહાનિ થઇ હોવાનું પણ સામે નથી આવ્યું. પરંતુ મીલની અંદર રહેલો 75 ટન રાયડો બળીને ખાખ થઇ ગયો છે. જેથી આસપાસમાં દોડાદોડ મચી ગઇ હતી. આ ઘટનાની જાણ થતા જ તુરંત ફાયરની ટીમને ઘટનાસ્થળે બોલાવી લેવાઇ હતી. બાદમાં તુરંત આગ પર કાબુ મેળવી લેવાયો હતો.
આગ કયા કારણોસર લાગી તેનું કારણ હજુ સામે નથી આવ્યું
જો કે આ ઘટનામાં 1 કરોડથી પણ વધુ કિંમતનું નુકસાન થયું છે. ત્યારે હવે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવશે કે આખરે આ આગ લાગ્યા પાછળનું કારણ શું હોઇ શકે? આખરે શું કોઇની બેદરકારી હતી કે પછી જાણીજોઇને કોઇએ આવું કાવતરું કર્યું હતું? જેવાં અનેક મામલે વધુ તપાસ પણ હાથ ધરાઇ શકે છે. હાલમાં આ ભીષણ આગ પર ફાયરની ટીમે કાબુ મેળવી લેતા કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.