સુરતઃ યોગી ચોક ખાતે અસામાજીક તત્વોએ BRTSની 3 બસો સળગાવી હતી. સુરતમાં BRTS બસમાં આગચંપી મામલે સરથાણા પોલીસ સ્ટેશનમાં 2 ગુના નોંધાયા છે. આ મામલે અલગ અલગ 2 રાયોટિંગના ગુના નોંધાયા છે. જ્યારે 2 બસ પર પથ્થરમારા મામલે એક ગુનો નોંધાયો છે. જ્યારે 15 બાઈક પર આવેલા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.
ઉલ્લેખનીય છે કે અસામાજિક તત્વો દ્વારા બે બસ અને એક બસ સ્ટેન્ડમાં તોડફોડ કરી હતી. જેને પગલે આજે સુરતમાં BRTS બસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સરથાણા વરાછા અને કાપોદ્રા સહિતના વિસ્તારોમાં BRTS અને સિટી બસ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ તમામ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો SRPના પણ 50 જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.
મહત્વનું છે કે આજે સુરતના અનેક વિસ્તારોમાં BRTS બસો બંધ રાખવામાં આવી છે. વરાછા કાપોદ્રા સરથાણા સહિતના વિસ્તારોમાં BRTS બસો બંધ રખાઈ છે. અસામાજીક તત્વો દ્વારા આજે ફરીથી આતંક ન ફેલાવવામાં આવે જેના કારણે સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા BRTS બસો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.