અમદાવાદના પીરાણા પાસે કાપડની ફેકટરીમાં ભીષણ આગ લાગી છે. નાનુકાકા એસ્ટેટમાં ફેકટરીના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગમાં 11 લોકોના મૃત્યુ થયા છે જયારે 6 લોકોનું રેસ્કયુ કરાયું છે.બોઈલરમાં બ્લાસ્ટ થતા બિલ્ડિંગનું સ્ટ્રકચર ધરાશાયી થયુ છે. ફાયરબ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરાઈ હતી.
પીરાણા પાસે કાપડની ફેકટરીમાં આગ
આગમાં 11 લોકોના મૃત્યુ, 6 લોકોનું કરાયું રેસ્કયુ
બોઈલરમાં બ્લાસ્ટ થતા બિલ્ડિંગનું સ્ટ્રકચર ધરાશાયી
રાજ્યમાં ફરી આગ લાગવાની ઘટના સામે આવી છે. અમદાવાદના પીરાણા-પીપળજ રોડ પર આવેલી ફેક્ટરીના કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો કાપડના ગોડાઉનમાં આગ લાગવાના કારણે 11 લોકોના મૃત્યુ થયા છે.
કેમિકલ રિએક્શનના કારણે બ્લાસ્ટ થયો: ફાયર ચીફ એમ.એન.દસ્તુર
અમદાવાદ ગોડાઉનમાં આગની ઘટના પર ફાયર ચીફ એમ.એન.દસ્તુરે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આગ કરતા છત ધરાશાયી થતાં મોટું નુકસાન થયું છે. ત્યાર સુધી 9 લોકોના મૃત્યુ, 9 લોકોને બહાર કઢાયા છે. કેમિકલ રિએક્શનના કારણે બ્લાસ્ટ થયો છે.
PM મોદીએ અમદાવાદના ગોડાઉનમાં આગની ઘટના અંગે વ્યક્ત કર્યુ દુઃખ
અમદાવાદમાં ગોડાઉનમાં આગની દુર્ઘટના મામલે PM મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ. કહ્યું, અમદાવાદના કાપડના ગોડાઉનમાં આગને કરાણે થયેલી જાનહાનીને કારણે ખુબ દુ:ખી છું. પીડિતના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલ થનારાઓ માટે પ્રાર્થના છે. સ્થાનિક તંત્ર તમામ પ્રકારની શક્ય મદદ કરવા માટે તત્પર છે.
Anguished by the loss of lives due to a fire in a godown in Ahmedabad. Condolences to the bereaved families. Prayers with the injured. Authorities are providing all possible assistance to the affected.
સ્થાનિક તંત્ર શક્ય તમામ મદદ કરી રહ્યું છે: અમિત શાહ
અમદાવાદમાં કપડાના ગોડાઉનમાં આગનો મામલે કેન્દ્રીય મંત્રી અમિત શાહે ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમણે કહ્યું કે, સ્થાનિક તંત્ર શક્ય તમામ મદદ કરી રહ્યું છે, જીવ ગુમાવનાર પરિવારો માટે સંવેદના છે.
अहमदाबाद में कपड़ों के गोदाम में आग लगने की सूचना अत्यंत दुःखद है। स्थानीय प्रशासन घटनास्थल पर हर सम्भव सहायता प्रदान करने में जुटा है। इस दुर्घटना में जान गंवाने वाले लोगों के परिजनों के प्रति गहरी संवेदना व्यक्त करता हूँ और घायलों के शीघ्र ही स्वस्थ होने की प्रार्थना करता हूँ।
અમદાવાદમાં કાપડનાં ગોડાઉનમાં આગ મામલે શ્રમ-રોજગારમંત્રી દિલીપ ઠાકોરે કહ્યું કે, સમાચાર મળતા અધિકારીની ટીમ ઘટના સ્થળે મોકલી છે. ગોડાઉનમાં આગ લાગવાના સમાચાર મળ્યા છે. ફેક્ટરી એક્ટ હેઠળ પગલાં લેવાશે.
ગોડાઉનમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થાનો પણ અભાવ
નાનુકાકા એસ્ટેટમાં કાપડની ફેક્ટરીના ગોડાઉનમાં આગની ઘટના બની હતી. કાપડનું ગોડાઉન સંપૂર્ણ પેક હતું. અને વેન્ટિલેશનની વ્યવસ્થાનો અભાવ હતો તો સાથે જ ગોડાઉનમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થાનો પણ અભાવ હોવાનું સામે આવ્યું છે.
ગોડાઉન બટા ભરવાડ નામની વ્યક્તિનું હોવાનું સામે આવ્યું
મહત્વનું છે કે સાહિલ એન્ટરપ્રાઇઝમાં બોઇલરમાં બ્લાસ્ટ થતા બિલ્ડિંગનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું હતું.આ ગોડાઉન બટા ભરવાડ નામની વ્યક્તિનું હોવાનું સામે આવ્યું છે. અને પોલીસે કેમિકલના ગોડાઉન મલિકની પૂછપરછ શરૂ કરી છે.
બ્લાસ્ટથી આસપાસના 5 થી વધુ ગોડાઉનને અસર થઈ
બ્લાસ્ટથી આસપાસના 5 થી વધુ ગોડાઉનને અસર થઈ છે. 3 થી 4 ગોડાઉનની છતો ધરશાયી થઈ છે. અત્યાર સુધીમાં 14 લોકોને બહાર કઢાયા છે. 14 પૈકી 9 લોકોના મોત થયા છે.
બટા ભરવાડ નામના વ્યક્તિનુ ગોડાઉન હોવાનું સામે આવ્યું છે.
સળગતા સવાલ
મોતની ફેક્ટરીઓ પર ક્યારે લાગશે લગામ?
ફેક્ટરીમાં ફાયર બ્રિગેડની મંજૂરી મળી હતી કેમ?
બોઈલર ફાટ્યા બાદ કેમિકલના કારણે વધુ આગ પ્રસરી
9 જેટલા લોકોના મૃત્યુ પાછળ કોણ છે જવાબદાર?
કંપની માલિક પાસે ફાયર NOC હતું કેમ?
ફેક્ટરીમાં મોટી માત્રામાં કેમિકલ ક્યાંથી આવ્યું?
બેદરકાર કંપની માલિક વિરુદ્ધ કાર્યવાહી થશે?
ફાયર વિભાગ દ્વારા આગની ઘટનાને લઇને કહ્યું કે આગની ઘટના અંગે માહિતી મળી હતી. FSLની ટીમને ઘટનાસ્થલે બોલાવાઇ છે. જો કે આગના વિકરાળ સ્વરુપના કારણે ફાયર અને મેડિકલની વધારાની ટીમ બોલાવામાં આવી છે. જો કે કંપની પાસે ફાયરને લઇને NOC હતું કે નહીં તેને લઇને પણ સવાલ ઉઠી રહ્યાં છે.