અમદાવાદના પિરાણા અગ્નિકાંડનો મામલો રાજકીય નેતાઓની દખલગીરી બાદ વધુ ગુંચવાયો છે. 5 પરિવારોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. વધુ નાણાંકીય સહાય માટે પરિવારજનોની માગ છે. 20 લાખની સહાય અને સરકારી નોકરીની માગ કરવામાં આવી રહી છે. વી.એસ.હોસ્પિટલની બહાર 2 દિવસથી પરિવારજનો જમાવડો જોવા મળી રહ્યો છે. 7 પરિવારના મૃતકોનો મૃતદેહનો સ્વીકાર કર્યો છે. અગ્નિકાંડમાં 12 નિર્દોષ લોકોના થયા મૃત્યુ થયા હતા
અમદાવાદના પિરાણા અગ્નિકાંડનો મામલો
રાજકીય નેતાઓની દખલગીરી બાદ મામલો ગુંચવાયો
5 પરિવારોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇન્કાર
અમદાવાદના પીરાણામાં બોઈલર બ્લાસ્ટથી લાગેલી આગ મામલે પાંચ પરિવારે હજી સુધી મૃતદેહ સ્વીકાર્યા નથી. તો બીજી તરફ નારોલ પોલીસે ત્રણ લોકો સામે માનવ વધ સહિતની ફરિયાદ નોંધી છે. ઉલ્લેખનીય છે કે આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે.
નાનુ કાકા એસ્ટેટના બે માલિક અને કાપડ ફેક્ટરીના માલિક હિતેન સુતરિયા સામે ફરિયાદ નોંધવામા આવી છે..અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. મૃતકના પરિવારની માગ છે કે, આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે.મહત્વપૂર્ણ છે કે, બોઈલર બ્લાસ્ટની ઘટનામાં 12 લોકોના મોત થયા છે. અને કેટલાક લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, કેમિકલ ફેક્ટરીના ગેરકાયદે પ્રોસેસિંગથી બ્લાસ્ટ થયો હતો. જોકે સરકારે રાજ્યના તમામ મનપા કમિશનરોને એક્શ ટેકન રિપોર્ટ તૈયાર કરવા આદેશ આપ્યા છે. ગેરકાયદે કેમિકલ ગોડાઉનોની તપાસ કરવા આદેશ અપાયા છે. તેવામાં હવે ઘટનાને લઇને રાજકીય પક્ષોએ સરકાર પર આક્ષેપો લગાવવાના શરૂ કરી દીધા છે. આ ઘટનામાં ફોજદારી ગુન્હો દાખલ કરવા કોંગ્રેસની માંગ કરી છે.
અમદાવાદના પીરાણા પીપળજ અગ્નિકાંડ મામલે ફોજદારી ગુન્હો દાખલ કરવા કોંગ્રેસે માંગ કરી છે. કોંગ્રેસે કહ્યું કે, નીતિ નિયમોને નેવે મુકતા વારંવાર શ્રમિકોના મોત થયા છે. આ દુર્ઘટના બાદ ભાજપા સરકાર ભીનુ સંકેલી રહી છે. અમદાવાદમાં 2013થી 18 વચ્ચે 161 શ્રમિકોના મોત છે. 2013થી 18 વચ્ચે અન્ય જિલ્લાઓમાં 507 શ્રમિકોના મોત થયા છે. ઔદ્યોગિક એકમોમાં 2013-18 સુધીમાં 1239 શ્રમિકોના મોત થયા છે. દર વર્ષે 2થી 3 હજાર ફેક્ટરીઓમાં જ બોઈલરની તપાસ થાય છે. ઈન્સ્પેકટરો દ્વારા તપાસ કરીને નથી લેવાતા યોગ્ય પગલાં.
કોંગ્રેસે દાવો કર્યો છે કે, ગુજરાત શ્રમિકોના મૃત્યુમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે. ગુજરાતમાં વર્ષ 2014-16માં 687 જેટલા શ્રમિકોના મૃત્યુ થયા છે. છેલ્લા 4 અઠવાડિયામાં 8થી વધુ ઔદ્યોગિક અકસ્માતો થયા છે.