મહારાષ્ટ્રના પૂણે પાસે આવેલા એક ગામમાં કપડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આ આગ લાગવાની ઘટનામાં પાંચ શ્રમિકના મોત નિપજ્યા છે. આગ વહેલી સવારે લાગી હતી. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લેવાયો છે. જોકે મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે.
Pune: Five labourers have died in the fire that broke out in a cloth godown in Uruli Devachi village in the early hours today. https://t.co/7HO2k6nEZ5
મળતી માહિતી મુજબ, આ દુર્ઘટનામાં 5 મજૂરોના મોત થયા છે. આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તેમણે આગ પર કંટ્રોલ મેળવી લીધો હતો. પોલીસ અને પ્રશાસનની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. અહીં રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
આગમાં ઘાયલ લોકોને નજીકની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જ્યારે ગોડાઉનમાં આગ લાગી ત્યારે પાંચથી સાત મજૂરો એક રૂમમાં ઉંઘી રહ્યા હતા. આગ લાગવાનું કારણ હજી જાણવા મળ્યું નથી.