સુરતની ઘટના બાદ રાજકોટમાં તંત્ર સક્રિય બન્યું છે. રાજકોટ ફાયર વિભાગની ટીમ દ્વારા ટ્યુશન ક્લાસીસમાં તપાસ શરૂ કરવામાં આવી છે. ટયુશન ક્લાસીસમાં ફાયર વિભાગે તપાસ શરૂ કરી છે. 3 ટીમોએ અલગ અલગ જગ્યાએ તપાસ હાથધરી છે. ટ્યુસન ક્લાસીસમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી સીલ કરવામાં આવ્યું.
જેમાં ઇનોવેટિવ કિડ્સ પ્લે હાઉસ, હિરિટીકાસ ઈંગ્લીશ એકેડમી, વરદાયીની સ્પોકન કલાસ, પ્રાર્થના ટ્યુશન કલાસીસ અને પી એન્ડ એમ ટ્યૂશન કલાસીસને સીલ કરવામાં આવ્યા છે. રાજય ભરમાં આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ત્યારે રાજકોટમાં વિદ્યાર્થીઓએ સુરતમાં મૃતક બાળકોને શ્રદ્ધાંજલી અર્પણ કરી છે. આજના દિવસે પરીણામની ઉજવણીના બદલે સુરતમાં મૃતક બાળકોને શ્રદ્ધાંજલી અર્પણ કરી છે.
જ્યારે સૂરત દુર્ઘટના બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય કર્યો છે. યુનિવર્સિટી અંતર્ગત આવતી કોલેજોને વેકેશન ગાળા દરમિયાન ફાયર વિભાગની મંજૂરી મેળવવા તાકીદ કરવામાં આવી છે. ફાયર સેફ્ટીના સાધનો અને તંત્રનું NOC મેળવવા આદેશ કરવામાં આવ્યા છે. ફાયર સેફ્ટી વગરની કોલેજો સામે યુનિવર્સિટી દ્વારા કાર્યવાહી હાથધરવામાં આવી છે.