ભીમજીભાઈની શેરીની બિલ્ડીંગમાં લાગતા અફરાતરફી મચી હતી, જે બાદ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લોકોનું સુરક્ષિત રેકસ્યું કર્યું હતું.
રાજકોટમાં સોની બજારમાં લાગેલી આગ કાબુમાં
બિલ્ડીંગમાં ફસાયેલા તમામ લોકોનું રેસ્ક્યું કરાયું
આગમાં કોઇ જાનહાની નહી
રાજકોટની સોની બજારમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા લોકમાં ભયનો માહોલ ફેલાય ગયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે પરમેશ્વરી હબ કોમ્પ્લેક્સ માં આવેલા તન્વી ગોલ્ડ કાષ્ટ ના પાંચમા માળે આગ લાગી હતી. આ કોમ્પ્લેક્સમાં લગભગ 200 જેટલા લોકો કામ કરે છે. સદનસીબે આગ પર કાબૂ મેળવી લેતા મોટી જાન હાની ટળી હતી.
ગેસના બાટલામાં આગ લાગી હતી
સોની બજાર ભીમજીભાઈ ની શેરીમાં આવેલા પરમેશ્વરી હબ કોમ્પ્લેક્સ માં આવેલા તન્વી ગોલ્ડ કાષ્ટના પાંચમા માળે આગ લાગી હતી,કોમ્પ્લેક્સના અગાસીમાં બનેલા ડોમમાં ઉપયોગમાં લેવાતા કિચનમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. 200થી વધુ કર્મચારીઓ ત્યાં કામ કરતા હોવાનો ખુલાસો થયો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ગેસના બાટલામાં આગ લાગી હતી.
ગેસના બાટલાનો મોટા પ્રમાણમાં જથ્થો હતો
સદનસીબે આગ નીચે ન પહોંચી તેથી મોટી ખાનાખરાબી અટકી છે. જો આગ નીચે સુધી પહોંચી જાત તો મોટી જાન હાનિ થઈ શકવાની શક્યતા હતી. આપને જણાવી દઈએ કે ગેસના બાટલાનો મોટા પ્રમાણમાં અહીં ઉપયોગ થાય છે આ ગેસના બાટલાના ઉપયોગ અંગે કોઈ NOC લેવામાં આવતું ન હોવાનો ખુલાસો થતાં મહાપાલિકા તંત્ર સામે સવાલ ઊભા થઈ રહ્યા છે.
સોનિ બજારમાં જ 100થી વધુ બિલ્ડિંગો ફાયર સેફટી વગરની
મહત્વનું છે કે હાઇકોર્ટ ફાયર સેફટીને લઈ વારંવાર મનપાની ઝાટકણી કાઢી રહ્યું છે છતાં પણ પેટનું પાણી ન હલતા આગના બનાવોમાં વધારો થયો છે. જ્યાં આગ લાગી તે સોની બજારમાં જ આવા 100થી વધુ બિલ્ડીંગ ફાયર સેફટી ધમધમે છે.ટીપી વિભાગની મહેરબાનીથી આ ઇમારતો કાર્યરત છે. અને કોઈ મોટા અણબનાવને નોતરી રહી છે.