રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલા સરદારનગર મેન પર આગની ઘટના સામે આવી છે. શહેરના પ્રખ્યાત પુજારા ટેલિકોમમાં આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
રાજકોટના પ્રખ્યાત પુજારા ટેલિકોમમાં આગ લાગતા કોમ્પલેક્સમાં ત્રીજા માળે સાત લોકો ફયાસા હતા. જોકે ફાયર વિભાગની ટીમે સમયસર પહોંચી આગમાં ફસાયેલા તમામ લોકોનો જીવ બચાવ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
પુજારા ટેલિકોમમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યુ હતુ અને આગમાં ફસાયેલા સાત લોકોને આબાદ બચાવી લેવામાં આવ્યા. આગ લાગતા દુકાનમાં ખરીદી માટે આવેલા ગ્રાહકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ પ્રાથમિક અનુમાન છે.