મેરઠની પાસે દૌરાલા રેલવે સ્ટેશન પર શનિવારે સહારનપુરથી દિલ્હી જતી ટ્રેનના એન્જિન અને બે ડબ્બામાં આગ પ્રસરી હતી. આગનું કારણ હજી બહાર આવ્યું નથી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
સહારનપુરથી દિલ્હી જતી ટ્રેનના એન્જિન અને બે ડબ્બામાં આગ પ્રસરી
કેટલાંક પ્રવાસી કોચને અલગ કરવા માટે ટ્રેનને ધક્કો મારી રહ્યાં હતા
ટ્રેન દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, તપાસ કમિટીની રચના કરાઈ
ટ્રેનના બે ડબ્બામાં લાગી ભીષણ આગ
આ ટ્રેન સહારનપુરથી આવી રહી હતી. ટ્રેનમાં જ્યારે આગ લાગી ત્યારે સૌપ્રથમ કોચને અલગ કરવામાં આવ્યો. આ દરમ્યાન કેટલાંક પ્રવાસી કોચને અલગ કરવા માટે ટ્રેનને ધક્કો મારી રહ્યાં હતા. જણાવાઈ રહ્યું છે કે સકૌતી સ્ટેશન પર પહોંચ્યા બાદ કોચમાં દુર્ગધ આવવા લાગી હતી અને ધૂમાડો ફેલાયો હતો. ત્યારબાદ ટ્રેનને મેરઠના દૌરાલા સ્ટેશન પર અટકાવી દીધી હતી. થોડા સમયમાં ભીષણ આગે ટ્રેનના ત્રણ ડબ્બાને ઝપેટમાં લઇ લીધા હતા. જો કે, સદનસીબે આગ લાગી ત્યાં સુધીમાં ડબ્બામાંથી પ્રવાસીઓ ઉતરી ગયા હતા.
#WATCH | Uttar Pradesh: Fire broke out in engine & two compartments of a Saharanpur-Delhi train, at Daurala railway station near Meerut.
Passengers push the train in a bid to separate the rest of the compartments from the engine and two compartments on which the fire broke out. pic.twitter.com/Vp2sCcLFsd
ડ્રાઈવરે સમજદારી બતાવતા પહેલા ટ્રેનની ઈલેક્ટ્રીક લાઈન કાપી નાખી. ત્યારબાદ લોકોની સાથે ટ્રેનને ધક્કો મારીને આગમાં ભડથુ થયેલા ડબ્બાને અલગ કરવામાં આવ્યાં. જેનાથી મોટી દુર્ઘટના ટળી. તો DRM ડિમ્પી ગર્ગે કહ્યું કે તપાસ માટે SEG કમિટીની રચના કરવામાં આવી છે. મેરઠના ચીફ ફાયર ઑફિસર સંતોષ કુમારે કહ્યું કે સવારે દૌરાલા સ્ટેશન પર ટ્રેનમાં આગ લાગી છે. સુચના મળ્યાં બાદ ફાયર બ્રિગેડની 7 ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો. તેમણે કહ્યું કે શક્યતા છે કે શોર્ટ સર્કિટથી આગ લાગી છે.
Uttar Pradesh | Fire broke out in the engine and two compartments of a train going from Saharanpur to Delhi, earlier today at Daurala railway station near Meerut. Cause of the fire is yet to be ascertained. No injuries/casualties reported. pic.twitter.com/WIXv6e0J9f