PM નરેન્દ્ર મોદીએ ગુરુવારે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગની ઘટનાને પગલે દુઃખ વ્યક્ત કરતા ઈજાગ્રસ્ત થયેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. પીએમે ગુરુવારે મુખ્યમંત્રી વિજય રુપાણી અને અમદાવાદના મેયર બિજલબેન સાથે આ મુદ્દે તેમણે વાત પણ કરી હતી. તેમજ પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. સીએમ વિજય રુપાણીએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. તેમજ તપાસના રિપોર્ટ 3 દિવસમાં આપવા આદેશ કર્યો છે. તેમજ પીએમઓએ વળતર આપવાની જાહેરાત કરી છે.
PMNRFમાંથી 2 લાખની આર્થિક મદદ કરવામાં આવશે
ઘાયલોને 50 હજારનું વળતર આપવામાં આવશે
આગ ફાટી નીકળતા 8 કોરોના ગ્રસ્ત દર્દીઓના બળીને ભડથું થયા
પીએમઓએ એક ટ્વીટ કરીને કહ્યું કે અમદાવાદની હોસ્પિટલમાં આગમાં મરનારાના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ (PMNRF)માંથી 2 લાખની આર્થિક મદદ કરવામાં આવશે. ઘાયલોને 50 હજારનું વળતર આપવામાં આવશે.
Ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who have lost their lives due to the hospital fire in Ahmedabad. Rs. 50,000 each would be given to those injured due to the hospital fire.
ઉલ્લેખનીય છે કે અમદાવાદના નવરંગ પુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં ગત મોડી રાતે એકાએક આગ ફાટી નીકળતા 8 કોરોના ગ્રસ્ત દર્દીઓના બળીને ભડથું થવાથી મોત નીપજ્યા છે. આ હોનારતને પગલે રાજ્યના આરોગ્ય સચિવ પણ ઘટના સ્થળે દોડી ગયા છે. ત્યારે આ ઘટનામાં મૃત્ય પામેલા દર્દીઓની યાદી અહીં આપવામાં આવી છે.
આ પહેલા પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું કે અમદાવાદની હોસ્પિટલમાં થયેલી આગની દુઃખદ ઘટનાથી મન વ્યથિત થઈ ગયું છે. શોકમાં ગરકાવ પરિવારો સાથે મારી સંવેદના છે. ઘાયલો જલ્દી સ્વસ્થ્ય થઈ જાય તેવી કામના કરુ છું.’તેમણે કહ્યું કે મુખ્યમંત્રી વિજય રુપાણી અને અમદાવાદના મેયર બિજલબેન સાથે આ મુદ્દે તેમણે વાત પણ કરી હતી. અસરગ્રસ્તોને મદદ પહોંચાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 40 કોરોનાગ્રસ્તોને બચાવી દેવાયા છે.