દુર્ઘટના / અમદાવાદ હોસ્પિ. આગના પીડિતો માટે PMએ શોક વ્યક્ત કર્યો, 2 લાખની મદદની જાહેરાત

fire broke out in ahmedabad hospital pmo annouces ex gratia

PM નરેન્દ્ર મોદીએ ગુરુવારે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગની ઘટનાને પગલે દુઃખ વ્યક્ત કરતા ઈજાગ્રસ્ત થયેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. પીએમે ગુરુવારે મુખ્યમંત્રી વિજય રુપાણી અને અમદાવાદના મેયર બિજલબેન સાથે આ મુદ્દે તેમણે વાત પણ કરી હતી. તેમજ પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. સીએમ વિજય રુપાણીએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. તેમજ તપાસના રિપોર્ટ 3 દિવસમાં આપવા આદેશ કર્યો છે. તેમજ પીએમઓએ વળતર આપવાની જાહેરાત કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ