ઉત્તર પ્રદેશના કન્નૌજમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. અહીં જીટી રોડ હાઇવે પર બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી, ત્યારબાદ બસમાં ભારે આગ ભભૂકી ઉઠી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બસમાં 50 લોકો ફસાયા છે.
ઉત્તર પ્રદેશના કન્નૌજમાં એક ભયાનક માર્ગ અકસ્માત
બસ અને ટ્રક ધડાકાભેર અથડાયા
CM યોગી આદિત્યનાથે આપ્યા તપાસના આદેશ
ઉલ્લેખનીય છે કે, બસ કન્નૌજના ગુરસહાગંજથી જયપુર જઈ રહી હતી. સીએમ યોગી આદિત્યનાથે આ ઘટનાની ઝડપી નોંધ લીધી છે. તેમણે કન્નૌજના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા અને મુસાફરોને વધુ સારી તબીબી સુવિધા ઉપલબ્ધ કરાવવા સૂચના આપી છે.
50 લોકો બસમાં હતા સવાર
Kannauj: A bus carrying 50 passengers catches fire after collision with a truck on GT Road. Fire tenders have rushed to the spot. More details awaited pic.twitter.com/aRdZC8ElhG
ઉલ્લેખનીય છે કે, આગ લાગેલી જોઇને બસમાં બેઠેલા મુસાફરોમાં ખળભળાટ મચી ગયો હતો. બસના 50 જેટલા મુસાફરોમાંથી 10 બહાર નીકળી શક્યા હતા. ફાયર બ્રિગેડ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ગજેન્દ્રસિંહ અને એડિશનલ પોલીસ અધિક્ષક વિનોદ કુમાર, છિબરામઉ કોટવાલ શૈલેન્દ્રકુમાર મિશ્રા ઘટના સ્થળે પહોંચી ગયા છે.
હાઇવે પર ટ્રાફિક જામ
અકસ્માત બાદ જીટી રોડ જામ થઈ ગયો છે. લાંબી કતારોમાં વાહનોની કતારો ખુલવાની રાહ જોઇ રહ્યા છે. ફાયર બ્રિગેડના અનેક વાહનો આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. બસમાંથી નાસી ગયેલા મુસાફરોના જણાવ્યા મુજબ, આગ બાદ ફક્ત 10-12 મુસાફરો જ બસમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. આશંકા છે કે મોટાભાગના મુસાફરો બસમાં અટવાઈ ગયા છે અથવા તેનું મોત નીપજ્યું છે.