અસમના સિલચર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં આગ લાગતા રેલવે સ્ટેશન પર અફરા તફરીનો માહોલ સર્જાયો. રેલવે સ્ટેશન પર જ ટ્રેનમાં આગ લાગાત મુસાફરોમાં દોડધામ મચી ગઈ. લોકો જીવ બચાવવા માટે આમ તેમ દોડવા લાગ્યા. આ આગ ત્રિવેન્દ્રપુરમ એક્સપ્રેસમાં લાગી હતી.
ઉલ્લેખનીય છે કે, ટ્રેનના 3 કોચમાં કોઈ કારણોસર આગ લાગતા રેલવે સ્ટેશન પર અફરા તફરી સર્જાઈ. બાદમાં સ્થાનિક તંત્ર અને ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ હાથ ધરાયો છે. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. પણ આગ જોઈને જ અંદાજો લગાવી શકાય છે કે ત્રણેય કોચ બળીને ખાખ થયા છે. જોકે, આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણવા મળ્યુ નથી.
Assam: Fire broke out in 3 coaches of Silchar-Trivandrum Express at Silchar Railway Station this morning pic.twitter.com/FjQLG4bp5I
આપને જણાવી દઇએ કે, છેલ્લા કેટલાક સમયગાળથી આગાના બનાવો વઘી રહ્યા છે સૌ પ્રથમ ગુજરાતના સુરતના એક ક્લાસીસમાં આગ લાગી હતી જેમાં અનેક વિદ્યાર્થીઓના મોત થયાં હતા ત્યારે ગતરોજ ઉત્તરપ્રદેશની શાળામાં પણ આગનો બનવા બનવા પામ્યો હતો.
ત્યારે આજરોજ અસમના સિલચર રેલવે સ્ટેશન પર ઉભેલ ટ્રેનના 3 ડબ્બામાં આગ લાગતા દોડધા મચી જવા પામી હતી, આગની ઘટનાને પગલે આસપાસના વાતાવરણમાં ભયનું વાતાવરણ પ્રસરી જવા પામ્યું હતું. જો કે, ટ્રેનના કોચમાં કોઇ હાજર નહીં હોવાથી સદનસીબે કોઇ જાનહાની થઇ નથી.