ઈન્દોરના વિજય નગર વિસ્તારમાં શુક્રવાર મોડી રાત્રે બે માળની ઈમારતમાં આગ લાગતા ભારે હડકંપ મચી ગયો હતો. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા હતા.
ઈન્દોરના વિજય નગરમાં ગત મોડી રાત્રે બની ઘટના
આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા હતા.
હજી મૃત્યુઆંક વધી શકે છે
આ ઈમારત ઈન્દોરના વિજય નગર વિસ્તારના સ્વર્ણ બાગ કોલોનીમાં આવેલી છે. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડ તેમજ વિજય નગર પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. પોલીસે મૃતકોના મૃતદેહને એમવાય હોસ્પિટલ મોકલી આપ્યા હતા. કહેવાય છે કે બિલ્ડીંગમાં શોર્ટ સર્કિટના કારણે ધીરે ધીરે આગે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
मध्य प्रदेश: इंदौर के स्वर्ण बाग कॉलोनी में एक दो मंजिला मकान में आग लगने का मामला सामने आया।
एक अधिकारी ने बताया, “इधर 15-16 लोग फंसे होने की आशंका है। अभी तक कुल 5 शवों को निकाला गया है। आग मीटर से लगने की आशंका जताई जा रही है।” pic.twitter.com/24hPPDinzh
મળતી માહિતી મુજબ, આગમાં મૃત્યુ પામનાર લોકો આ બિલ્ડિંગમાં ભાડા પર રહેતા હતા. આમાંના કેટલાક લોકો ભણતા હતા અને કેટલાક લોકો નોકરી કરતા હતા. અકસ્માત વિશે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટથી પહેલા પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનોમાં આગ લાગી હતી અને પછી ધીમે ધીમે આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી. તેની જ્વાળાઓએ એવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે કોઈને સ્વસ્થ થવાની અને સમજવાની તક આપવામાં આવી ન હતી. લોકો કંઈક સમજી શક્યા ત્યાં સુધીમાં કેટલાક જીવતા સળગવાથી અને કેટલાકનું ગૂંગળામણથી મૃત્યુ પામ્યા હતા.
7 charred to death after fire breaks out in Indore residential building
આગની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરાઈ
આગની જાણ થતાં જ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પાડોશીઓએ આગ ઓલવવા માટે તમામ પ્રયાસ કર્યા હતા. લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને વિજય નગર પોલીસ સ્ટેશનને જાણ કરી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. આગ ઓલવ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓએ ઘરમાંથી એક પછી એક મૃતદેહોને બહાર કાઢ્યા હતા. આગને કાબુમાં લીધા બાદ પોલીસે સ્થળને સીલ કરી દીધું હતું.ફોરેન્સિક અને ઈન્ટેલિજન્સ ટીમના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. દરમિયાન ધારાસભ્ય મહેન્દ્ર હરદિયા અને ઈન્દોરના પોલીસ કમિશનર હરિનારાયણ ચારી મિશ્રાએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું.
હજી મૃત્યુઆંક વધી શકે છે
સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. જે મકાનમાં આગ લાગી હતી તેની સામેના મકાનમાં રહેતા એક જ પરિવારના બે લોકોના મોતની આશંકા છે. તેના ઘરનું બાંધકામ ચાલી રહ્યું હતું. જેના કારણે તે હંગામી ધોરણે ભાડાના મકાનની સામે રહેતો હતો. આમ આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની આશંકા છે.