આગ / અમરેલીના રાજુલાના છતડીયા ગામે લાગી આગ, વિજ પોલના વાયરમાં શોર્ટ શર્કીટ થતા લાગી આગ

અમરેલીના રાજુલાના છતડીયા ગામના વાડી વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે. વિજ પોલની વાયરમાં વહેલી સવારે શોર્ટ શર્કીટ થતા આગ લાગી હતી. આગ લાગતા ગામજનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારે આ ઘટનામાં વિજ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. વિજવાયર બદલવા માટે ખેડૂતોએ અનેક વખત રજૂઆત કરી હતી. રજૂઆત કરવા છતા વિજવાયર ન બદલવામાં આવતી આગ લાગી હોવાનું સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે. સદનસિબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ