અમદાવાદના નવરંગ પુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં ગત મોડી રાતે એકાએક આગ ફાટી નીખળતા 8 કોરોના ગ્રસ્ત દર્દીઓના બળીને ભડથું થવાથી મોત નીપજ્યા છે. આ હોનારતને પગલે રાજ્યના આરોગ્ય સચિવ પણ ઘટના સ્થળે દોડી ગયા છે તો દેશના પ્રધાનમંત્રી મોદીએ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને અમદાવાદના મેયર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. ત્યારે આ ઘટનામાં મૃત્ય પામેલા દર્દીઓની યાદી અહીં આપવામાં આવી છે.
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ
8 કોરોના ગ્રસ્ત દર્દીઓના મોત
ઉલ્લેખનીય છે કે, શ્રેય હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા 8 દર્દીઓ આગ લાગવાને કારણે મૃત્યુ માપ્યા છે તો 30થી વધારે દર્દીઓને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે, ત્યારે આ ઘટનામાં મૃત્યુ માપેલા દર્દીઓની યાદી નીચે પ્રમાણે છે
શ્રેય હોસ્પિટલની આગમાં મૃત્ય પામેલ દર્દીઓની યાદી
લીલાવતીબેન શાહ
વાસણા
મનુભાઈ ઈશ્વરભાઈ રામી
મેમનગર
જ્યોતિબેન સિંધી
ખેરાલુ
અરવિંદ ભાવસાર
મેમનગર
આયશાબેન તિરમીજી
પાલડી
નવીનલાલ શાહ
ધોળકા
નરેન્દ્ર શાહ
ધોળકા
આરીફ મન્સુરૂ
વેજલપુર
આગ શોર્ટસર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ
આ સાથે જ એવું પણ મનાય છે કે, આ આગ શોર્ટસર્કિટને કારણે લાગી હતી. જોકે ફાયર વિભાગ આ અંગે તપાસ કરી રહ્યું છે. આ હોસ્પિટલને ફાયરનું એનઓસી મળ્યું હતું કે કેમ તે પણ તપાસનો વિષય છે.
આગને પગલે દર્દીઓના સગા-વહાલામાં રોષ
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ ભભૂકી ઉઠતા 8 દર્દીઓના સળગી જવાથી મોત નીપજ્યા છે. આ હોનારતને પગલે દર્દીઓના સગા-વ્હાલાઓમાં રોષ જોવા મળ્યો હતો અને પોલીસ સાથ થોડું ઘર્ષણ પણ થયું હતું.
આરોગ્ય સચિવ પહોંચ્યા શ્રેય હોસ્પિટલ
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે આ હોસ્પિટલને ફાયરનું એનઓસી મળ્યું હતું કે કેમ તે પણ તપાસનો વિષય છે. હાલમાં આરોગ્ય સચિવ જયંતિ રવિ ઘટના સ્થળે પહોંચ્યા છે. તેઓએ મીડિયા સાથ વાતચીત દરમિયાન જણાવ્યું કે, સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરવામાં આવશે અને આ દુર્ઘટના પાછળ કોની બેદરકારી છે તેની પણ તપાસ થશે અને જરૂરી કાર્યવાહી પણ કરાશે
PM મોદીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું
CM રૂપાણીએ આપ્યા તપાસના આદેશ
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાની તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે.
તેમણે આ બનાવની તપાસ માટે રાજ્યના વરિષ્ઠ આઇ એ એસ અધિકારી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતા સિંહ અને શહેરી વિકાસ વિભાગ ના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પૂરીની નિયુક્તિ કરી છે.
મુખ્યમંત્રીશ્રી એ તેમને આ સમગ્ર ઘટના કઈ રીતે બની તે અંગેની તલસ્પર્શી તપાસ 3 દિવસ માં કરીને જવાબદાર લોકો ની જવાબદારી નક્કી કરવા સહિત નો અહેવાલ રાજ્ય સરકારને આપવા સૂચનાઓ પણ આપી છે.