અમદાવાદના જગતપુર પાસે આવેલા ગણેશ જેનેસિસ ફ્લેટના છઠ્ઠા માળે આગ લાગી હતી. ત્યારે આ આગમાં એક પોલીસકર્મી દેવદૂત બનીને આવ્યો અને આગમાં ફસાયેલા 7 લોકોના જીવ બચાવ્યા.
જગતપુરમાં ગણેશ જેનેસિસ રેસિડેન્સીમાં 6ઠ્ઠા માળે ACનું કોમ્પ્રેસર ફાટતા 5માં માળે ભીષણ આગ લાગી હતી. જ્યારે ફાયરબ્રિેગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી 26થી વધુ લોકોને રેસ્ક્યું કર્યા હતા. જેમાં 7 લોકો ગંભીર હાલતમાં છે અને એકનું મોત થઇ ગયુ છે. આ આગની ઘટનામાં એક પોલીસકર્મી મનીષ બારોટે દેવદૂત બનીને આવ્યો અને આગમાં ફસાયેલા 7 લોકોના જીવ બચાવ્યા હતા.
પોલીસકર્મીઓ પોતાની જીવની પરવાહ કર્યા વિના આગમાં કૂદી ગયો અને જીવના જોખમે ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ત્યારે પોલીસકર્મીની આ કામગીરી ખરેખર સરાહનીય છે. આવા પોલીસકર્મી મનીષ બારોટને વીટીવી સલામ કરે છે.
ગણેશ જેનેસિસ બિલ્ડીંગમાં ACનું કોમ્પ્રેસર ફાટતા ચારે બાજુ અફરા-તફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. જો કે આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા જ ફાયર વિભાગની 10થી વધુ ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવાની કામગીરી હાથ ધરી હતી. જેઓએ આગ પર કાબુ મેળવી લીધો છે.
આ ઘટમાં તંત્રની બેદરકારી પણ સામે આવી છે. ફાયરસેફ્ટિમાં ટેક્નિકલ ખામી થતા ફાયરનું સ્નોરેકલ બંધ થઈ ગયું હતું. ત્યાર બાદ સ્નોરેકલ ચાલુ કરવા માટે ચાર વાર પ્રયત્નો કર્યા હોવા છતાં સ્નોરકલ ચાલુ થયું ન હોતું. અમદાવાદનાં ચીફ ફાયર ઓફિસર દસ્તૂરે આ મામલે નિવેદન આપતા જણાવ્યું કે, 'અમારી પાસે ઓપરેટર ન હોવાથી હાઇડ્રોલિક સીડી નહોતી ખુલી શકી.'
કોણ છે આ બહાદૂર જવાન? શું બની હતી ઘટના?
તેનું નામ મનીષ બારોટ છે. તે અમદાવાદ શહેર એ-ડિવિઝન ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે. મનીષ જ્યારે બિલ્ડિંગ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેની નજર આગ લાગેલા ફ્લેટ પર જતાં ત્યાં અચાનક દોડી આવ્યો હતો. જોકે ઘટના ખુબ જ ગંભીર હોવાથી મનીષે કઇ પણ વિચાર્યા વગર બિલ્ડિંગના છઠ્ઠા માળે દોડી જઇ આગ લાગેલા ફ્લેટમાંથી સાત લોકોને સુરક્ષિત બચાવ્યા હતા.