મહારાષ્ટ્ર સ્થિત મુંબઈની નજીક આવેલા પાલધર જિલ્લામાં વિરાર વિસ્તારની વિજય વલ્લભ કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર 13 કોરોના દર્દીના મોત થયા છે. આ ઘટનામાં મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ તપાસના આદેશ આપ્યા છે.
21 ગંભીર દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા
વિરાર વેસ્ટ સ્થિત વિજય વલ્લભ હોસ્પિટલમાં 15 દર્દી આઈસીયુમાં દાખલ હતા. મનાઈ રહ્યુ છે કે હોસ્પિટલ બીજા માળ પર છે. આગના કારણે 13ના મોત થયા છે. જ્યારે 21 ગંભીર દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં રિફર કરાયા છે.
1-2 મિનિટમાં આગ ફેલાઈ ગઈ
હોસ્પિટલના સીઈઓ દિલીપ શાહે કહ્યુ કે આ ઘટનામાં 13 લોકોના મોત થયા છે. તેમણે કહ્યુ કે હોસ્પિટલમાં લગભગ 90 દર્દી છે. જે દર્દીઓને ઓક્સિજનની જરુર છે તેમને અમે બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરી રહ્યા છીએ. શાહે જણાવ્યું કે આઈસીયુમાંથી કંઈક આગ જેવુ પડ્યુ અને 1-2 મિનિટમાં આગ ફેલાઈ ગઈ. તેમણે કહ્યું કે હોસ્પિટલમાં ફાયર સેફ્ટી છે. સીઈઓએ દાવો કર્યો કે રાતે હોસ્પિટલમાં ડોક્ટર હતા. એમ પુછવા પર કે કેટલો સ્ટાફ ડ્યુટી પર હતો શાહ બરાબર સંખ્યા કહી શક્યા નહોંતા.
Maharashtra: Fire breaks out at a COVID Center in Vasai of Palghar district. Affected patients are being shifted to nearby hospitals. Details awaited. pic.twitter.com/QfclEgBvvj
એક ન્યૂઝ રિપોર્ટ મુજબ આગ પર કાબૂ મેળવવા 10 ફાયર વાહનો પહોંચી ગયા હતા. હોસ્પિટલમાં એક દર્દીની સાથે આવેલા એક સેવા કરનારાએ દાવો કર્યો કે એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી છે. તેમણે જણાવ્યું કે આઈસીયુમાં 15 દર્દી હતા. તેમને શંકા છે કે એ તમામનું મોત થયું છે. સેવકે જણાવ્યું કે આઈસીયુ ફુલ હતુ. મળતી માહિતી મુજબ સવારે 3 વાગે લગભગ આગ લાગી તે સમયે ફક્ત 2 નર્સ હાજર હતી.
ઉલ્લેખનીય છે. નાગપુર અમરાવતી માર્ગ પર સ્થિત વેલ ટ્રીટ હોસ્પિટલ કોવિડ હોસ્પિટલમાં 9 એપ્રિલના રોજ આગ લાગી હતી. જેમાં 22 લોકોના મોત થયા હતા. અહીં પણ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું કહેવામાં આવ્યું હતુ.