જમ્મુ કાશ્મીરના કટરામાં આવેલા વિશ્વવિખ્યાત માતા વૈષ્ણોદેવી મંદિર પરિસરમાં શોર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી.
વૈષ્ણો દેવી મંદિર પરિસરમાં ભીષણ આગ
દૂર દૂરથી આગની જ્વાળાઓ દેખાઈ
શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા
સદનસીબે અત્યાર સુધી જાનહાનીની કોઈ ખબર નહીં
જાનહાનીની કોઈ ખબર નહીં, 2 કર્મચારીઓને નજીવી ઈજા પહોંચી
વૈષ્ણોદેવી મંદિર પરિસરમાં આવેલા કાલિકા ભવનના કેશ કાઉન્ટરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી તેમાં કાઉન્ટરમાં કામ કરી રહેલા બે કર્મચારીઓને નજીવી ઈજા પહોંચી છે. સદનસીબે આ ઘટનામાં જાનહાનીની કોઈ ખબર નથી. જે સ્થળે આગ લાગી હતી તે સ્થળે કુદરતી ગુફાથી 100 મીટર દૂર છે.
આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. ખબર મળતાં ફાયર બ્રિગેડની ટીમે આવીને આગ ઓલવવાનું શરુ કર્યું હતું અને થોડી વારમાં તેમને સફળતા મળી હતી. શ્રાઈન બોર્ડના સીઈઓએ જણાવ્યું કે આગ પર લગભગ કાબુ મેળવી લેવાયો છે. આ અગ્નિકાંડમાં કેટલું નુકશાન થયું તે અંગે હાલમાં કોઈ જાણકારી મળી નથી.