દિલ્હીના લાજપતરાય માર્કેટમાં સવાર સવારમાં એવી ભયાનક આગ લાગી હતી કે એકસાથે 58 દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી અને 13 જેટલી ફાયર વિભાગની ગાડીઓ બોલાવવી પડી હતી.
લાજપત રાય માર્કેટમાં આગ
ત્રણ કલાક બાદ મેળવ્યો કાબૂ
કરોડો રૂપિયાનું નુકસાન
દિલ્હીના ચાંદની ચોક સ્થિત લાજપત રાય માર્કેટમાં ગુરુવારે વહેલી સવારે આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે 13 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
Delhi: Fire breaks out at Lajpat Rai Market in Chandni Chowk; 12 fire tenders rushed to the site for firefighting
લગભગ ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. 13 જેટલા ફાયર વિભાગના વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આખરે આગ કાબુમાં લઈ શકાય છે.
કરોડો રૂપિયાનું નુકસાન
લાજપત રાય માર્કેટમાં આગને કારણે 58 દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તપાસ શરૂ કરવામાં આવી હતી.