ભરૂચ શહેરની ધી બોમ્બે પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતેના કોવિડ વોર્ડમાં આવેલ ICU વિભાગ ખાતે મોડી રાત્રીના સમયે અચાનક આગ ભભૂકી ઉઠત્તા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો
ધ બોમ્બે પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડના ICU વિભાગમાં આગ
16 દર્દી અને 2 કર્મચારીના મૃત્યુ
શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન
Update:
ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં આગ લાગવાનો મામલો : ઘટનામાં મૃત્યુઆંક 18 પર પહોંચ્યો, 16 દર્દીઓ અને 2 નર્સિંગ સ્ટાફના થયા મૃત્યુ
ભરૂચ શહેરની ઘી બોમ્બે પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતેના કોવિડ વોર્ડમાં આવેલ ICU વિભાગ ખાતે મોડી રાત્રીના સમયે અચાનક આગ ભભૂકી ઉઠત્તા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો,આગ લાગવાની ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે,તો 18 લોકોના મોત નિપજ્યા હોવાની પ્રાથમિક જાણકારી સામે આવી છે.
હોસ્પિટલના આઈ સી યુ વોર્ડ માં આગ
ભરૂચ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલ પટેલ વેલફર હોસ્પિટલ ખાતે રાત્રીના સમયે અચાનક હોસ્પિટલના આઈ સી યુ વોર્ડ માં આગ લાગવાની ઘટના સામે આવી હતી,પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ ના કારણે આ આગ લાગી હોવાનુ માનવામાં આવી રહ્યું છે.
રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી
કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાના પગલે દર્દીઓના સ્વજનો અને સ્થાનિકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે ધસી ગયા હતા અને સમગ્ર ઘટનામાં દર્દીઓને રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી,આગ લાગ્યા ની જાણ ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ આ થતા ફાયર ની 5 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી,સાથે જ આગ ઉપર પાણી નો મારો ચલાવી આગને કાબુમાં લેવાઈ હતી.
ઘટના સમયે હોસ્પિટલ માં 58 જેટલા લોકો દાખલ હતા, 18ના મોત
પ્રાથમિક જાણકારી મુજબ પટેલ વેલફર હોસ્પિટલ ના આઈ સી યુ વિભાગમાં ઘટના સમયે હોસ્પિટલ માં 58 જેટલા લોકો દાખલ હતા,જેમાંથી 16 જેટલા દર્દીઓ અને 2 હોસ્પિટલ સ્ટાફ ના કર્મચારીઓ ના મોત નિપજ્યા છે,જ્યારે ઘટનામાં ઘાયલ અનેક લોકોને ભરૂચ જિલ્લા ની વિવિધ હોસ્પિટલમાં રેસ્ક્યુ કામગીરી હાથધરી વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે,
ઘટનાના પગલે ભરૂચ ન ધારાસભ્ય દુષ્યંત ભાઈ પટેલ,નગર પાલિકા ના પ્રમુખ અમિત ચાવડા સહિત ના આગેવાનો ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા ,તો બીજી તરફ દુર્ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા એસ.પી સહિતના અધિકારીઓ તાત્કાલિક ધોરણે પહોંચી ગયા હતા,
મહત્ત્વ નું છે કે એક તરફ કોરોના મહામારી ભરૂચ જિલ્લામાં બેકાબૂ બની છે,રોજ ના અનેક પોઝીટિવ કેસો જિલ્લામાં સામે આવી રહ્યા છે,તો કોવિડ પ્રોટોકોલ આધીન સ્મશાન અને કબ્રસ્તાન માં પણ અનેક મૃતદેહ પહોંચી રહ્યા છે,તે વચ્ચે અચાનક સર્જાયેલ આ પ્રકારની કરુણ ઘટનાના પગલે લોકોમાં ગમગીની ભર્યું માહોલ છવાયો છે