તૌક્તે તોફાન દરમિયાન ડૂબેલા બાર્જ પી- 305 (Barge P-305)ના મામલામાં મુંબઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.
Barge P-305ના કેપ્ટન સહિત અન્ય લોકોની સામે હત્યાનો ગુનો નોંધાયો
ચીફ એન્જિયનિયર અને વાઈસ એન્જિનિયરે કેપ્ટન સહિત અન્ય સામે ફરિયાદ નોંધાવી
26 કર્મચારીઓની શોધ હજું પણ ચાલુ
Barge P-305ના કેપ્ટન સહિત અન્ય લોકોની સામે હત્યાનો ગુનો નોંધાયો
મુંબઈ પોલીસે ઘટનામાં થયેલા મોતને લઈને Barge P-305ના કેપ્ટન સહિત અન્ય લોકોની સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. સમાચાર છે કે પોલીસે બાર્જ પર હાજર વાઈસ એન્જિનિયરિંગની ફરિયાદ પર કેસ તૈયાર કર્યો છે. ભારતીય નૌસેનાનું રેસ્ક્યૂ ઓપરેશન જારી છે. ગુરુવારે સાંજ સુધીમાં વધુ 49 લાશો શોધી કાઢવામાં આવી હતી.
ચીફ એન્જિયનિયર અને વાઈસ એન્જિનિયરે કેપ્ટન સહિત અન્ય સામે ફરિયાદ નોંધાવી
ચીફ એન્જિયનિયર અને વાઈસ એન્જિનિયર મુસ્તફિજુર રહેમાન શેખની ફરિયાદ પર પોલીસે પી-305ના કેપ્ટન રાકેશ વલ્લભ સહિત અન્ય લોકોની વિરુદ્ધ અજાણતા હત્યાનો મામલો નોંધ્યો છે. પોલીસે 304 (2) ઉપરાંત અનેક અન્ય કલમોમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપ છે કે મૌસમ વિભાગ તરફથી ચેતવણી જારી કર્યા બાદ વલ્લભે બાર્જ પી-305 કર્મચારીઓની સુરક્ષા પર ધ્યાન નથી આપ્યુ. એન્જિનિયરે આરોપ લગાવ્યો હતો કે કેપ્ટની બેદરકારીના કારણે અનેક જીવ ગયા છે.
26 કર્મચારીઓની શોધ હજું પણ ચાલુ
હાલમાં નૌસેનાના 6 જળ જહાજ, P8I મૈરિટાઈમ એરક્રાફ્ટ, ચેતક, એએલએચ અને સીકિંગ હૈલિકોપ્ટર્સ રેસ્ક્યૂ કાર્યમાં લાગેલા છે. મીડિયા રિપોર્ટ મુજબ 26 કર્મચારીઓની શોધ હજું પણ ચાલુ છે. બાર્જ પર ઘટનાના સમયે 261 કર્મી હતા. જેમાંથી 186 લોકોને બુધવારે સાંજ સુધીમાં બચાવી લેવાયા છે. ગુરુવારે 27 પીડિતોની લાશ INS બેસના માધ્યમથી મુંબઈ લાવવામાં આવ્યા.
આટલા જહાજો કરી રહ્યા છે શોધ
ભાષા અનુસાર નૌસેના અને તટરક્ષકના જહાજો તથા વિમાનોના પશ્ચિમ તટીય વિસ્તારની આસપાસના સમુદ્રમાં ગુમ લોકોની શોધ ચાલુ છે. ભારતીય નૌસેનાએ આ કામ માટે 6 જળપોતો લગાવ્યા છે. ઓએનજીસીએ બચાવ અભિયાનમાં પોતાના 20 જહાજો લગાવી છે. જેમાં એક પોત એફ્કોર્ન્સ પણ સામેલ થયુ છે. આ ઉપરાંત બચાવ અને શોધ અભિયાનમાં 15 હેલિકોપ્ટર્સ લાગ્યા છે જેમાં 7 ઓએનજીસી અને ચાર- ચાર નૌસેના તથા તટરક્ષકના છે.