મોબ લિન્ચિંગના મુદ્દે પીએમ મોદીને ખુલ્લો પત્ર લખીને ચિંતા જણાવનારી 50થી વધુ લોકોની વિરુદ્ધમાં ગુરુવારે કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે આ 50 લોકોની વિરુદ્ધમાં કેસ મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ સૂર્યકાંત તિવારીના આદેશના આધારે નોંધવામાં આવ્યો છે.
ન્યાયિક મેજિસ્ટ્રેટના આદેશના આધારે 49 સેલેબ્સ પર નોંધાયો કેસ
મોબ લિન્ચિંગને લઈને પીએમ મોદીને પત્ર લખનારા પર નોંધાયો કેસ
કોર્ટે 2 મહિના પહેલા દાખલ કરેલી અરજી પર FIR નોંધવાનો આપ્યો આદેશ
અનેક જાણીતી હસ્તીઓના નામ પણ કેસમાં સામેલ છે
સદર પોલીસ સ્ટેશનમાં નોંધાયો કેસ
કોર્ટે સ્થાનિક વકીલ સુધીર કુમાર ઓઝાની તરફથી બે મહિના પહેલાં એક અરજી પર સુનાવણી કરતા કહ્યું કે 20 ઓગસ્ટે FIR નોંધાવવાનો આદેશ આપ્યો હતો. જેની પર અમલ કરીને ગુરુવારે સદર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર IPCની અલગ અલગ સૅક્શન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા, રાજદ્રોહ, શાંતિભંગ જેવી કલમો લગાવવામાં આવી છે.
જાણો પત્ર લખનારામાં કોણ કોણ છે સામેલ
ઓઝાને પત્ર લખનારા લોકો પર જાણીજોઈને દેશની ખરાબ છબિ ઊભી કરવા અને પીએમની ઉપલબ્ધિઓને ઓછી દેખાડવાનો પ્રયાસ કરવાના આરોપમાં અરજી દાખલ કરવામાં આવી હતી. પત્ર લખનારાઓમાં ઈતિહાસકાર રામચંદ્ર ગુહા, ફિલ્મ નિર્દેશક મણિરત્નમ, ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ, ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલ, અભિનેતા સૌમિત્ર ચેટર્જી અને અભિનેત્રી અર્પણા સેન અને ગાયિકા સુધા મુદ્ગલ પણ સામેલ છે.