અમદાવાદની કૃષ્ણનગરના સરદાર ચોકમાં આવેલી અંકુર સ્કૂલમાં આગ લાગી હતી. આગના ધૂમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા છે ત્યારે તાબડતોડ ઘટના સ્થળે ફાયરબ્રિગેડની 10 ગાડીઓ પહોંચી છે.
3 ફસાયેલા કારીગરોને પણ બચાવી લીધા
શાળામાં ફસાયેલા 3 કારીગરોને બચાવી લેવાયા છે. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે આ અંગે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતુ કે, મહામહેનતે આખરે આગ પર કાબૂ મળવી શક્યા છીએ અને 3 ફસાયેલા કારીગરોને પણ બચાવી લીધા છે.
કેમ લાગી હતી આગ?
ફર્નિચરના મટીરીયલમાં આગ લાગી હતી અને આ આગ ભીષણ બનાવા પાછળ ફર્નિચરના મટીરીયલ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યુ છે. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનુ અનુમાન છે અને ફર્નિચરને કારણે આગ ફેલાઈ હતી.
ઘટનાને તપાસ માટે FSLની મદદ લેવામાં આવી છે. આગમાં ફસાયેલ 3 કારીગરોનું રેસ્ક્યુ કરવામાં આવી છે. ભીષણ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ઘટનાને લઇ પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.