કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વાયનાડવાળા નિવેદનને ઉદયપુરની ઘટના સાથે જોડવાના મામલે ભાજપના નેતાઓ અને એક ટીવી ચેનલના એન્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
રાહુલ ગાંધીની છબી ખરાબ કરવાનો પ્રયાસ
રાહુલ ગાંધીનો વીડિયો શેર કરી ભ્રામક પ્રચાર કર્યો
ભાજપના સાંસદ સહિત કેટલાય લોકો પર ફરિયાદ નોંધાઈ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વાયનાડવાળા નિવેદનને ઉદયપુરની ઘટના સાથે જોડવાના મામલે એક ન્યૂઝ ચેનલના એન્કર, ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા રાજ્યવર્ધન રાઠોડ અને સેનાના મેજર સુરેન્દ્ર પુનિયા અને ઉત્તર પ્રદેશના ધારાસભ્ય કમલેશ સૈની સહિત કેટલાય અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ શનિવાર રાતે FIR નોંધવામાં આવી છે. જયપુરના બનીપાર્ક પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ નેતા રામસિંહે ભારતીય દંડ સંહિતાની કલમ 504, 505, 153એ, 295બી આઈપીસી તથા આઈટી એક્ટ 2000ની અલગ અલગ ધારાઓ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
Shri @Jairam_Ramesh, GS Communications AICC has written to the BJP President, Shri @JPNadda strongly condemning doctored social media posts by BJP party leaders and demanding an apology failing which appropriate legal action shall be initiated. pic.twitter.com/nlSiWTl4IB
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા આ ન્યૂઝ ચેનલની ટિકા કર્યાના થોડા કલાકોમાં જ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ કર્તાએ આરોપ લગાવ્યો છે કે, એન્કરે પોતાના શોમાં રાહુલ ગાંધીનો એક વીડિયો ચલાવીને ખોટી રીતે પ્રસારિત કર્યો હતો. રાહુલ ગાંધીએ પોતાના મત વિસ્તાર વાયનાડના કાર્યાલયમાં તોડફોડના સંદર્ભમાં નિવેદન આપ્યું હતુંં, જ્યારે આ નિવેદનને ઉદયપુરની ઘટના સાથે જોડી દેવામાં આવ્યું હતું. ઉદયપુરમાં એક દરજીની બે મુસ્લિમ લોકોએ મંગળવારે ચાકૂ મારીને હત્યા કરી નાખી હતી.
તેમણે કહ્યું હતું કે, મીડિયા ગ્રુપ દ્વારા સાંસદ રાજ્યવર્ધન રાઠોડ, સેનાના મેજર સુરેન્દ્ર પુનિયા, કમલેશ સૈની સાથે એક ષડયંત્ર અંતર્ગત આ કામ કર્યું છે. જેમણે રાજકીય લાભ ખાંટવા માટે થઈને લોકોની ભાવના ભડકાવવા આ ક્લિપને ટ્વિટર પર શેર કરી હતી. આ અગાઉ રાજસ્થાનના મુખ્યમંત્રીએ આ ચેનલનો પણ ઉધડો લઈ લીધો હતો અને રાહુલ ગાંધી વિરુદ્ધ ખોટી અને ભ્રામક વાતો ફેલાવવા માટે આ નિવેદનને ઉદયપુરની ઘટના સાથે જોડી દેવામા આવ્યું હતું.
અશોક ગેહલોતે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ તેમની વાયનાડ ઓફિસમાં કરેલી તોડફોડ વિશે વાત કરી રહ્યા હતા. અને તેમણે ત્યાં કહ્યું હતું કે, તેઓ બાળકો છે, તેથી તેમને માફ કરી દેવા જોઈએ. પણ આ ટીવી ચેનલે રાહુલ ગાંધીના આ નિવેદને ઉદયપુરની ઘટના સાથે જોડી દીધું હતું અને રાહુલ ગાંધી વિરુદ્ધ ખોટો પ્રચાર કરી લોકોને ભડકાવવું કામ કર્યું હતું.