ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ અને સપના બૌદ્ધ સિંગર સહિતના 18 લોકો સામે વારાણસીમાં એફઆઇઆર નોંધવામાં આવી છે.
ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ સહિત 18 સામે ફરિયાદ
વારાણસીના ભેલુપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
અદાલતના આદેશ પર તપાસ કાર્યવાહી ચાલુ કરવામાં આવી
વારાણસી ના ભેલુપુર પોલીસ સ્ટેશનમાં ગુનાઇત કાવતરા અને ધાકધમકી સહિતના આરોપમાં ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુંદર પિચાઇ, ગાયક વિશાલ ગાઝીપુરી અને સપના બૌદ્ધ સિંગર સહિત 18 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. વારાણસીના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ -3 ના આદેશથી ગૌરીગંજ નિવાસી ગિરિજા શંકર જયસ્વાલની અરજી પર આ કાર્યવાહી કરવામાં આવી છે.
અરજીકર્તાના વોટ્સએપ ગ્રુપ પર આવ્યો હતો વિડીયો
પોલીસના જણાવ્યા અનુસાર ગિરિજા શંકર જયસ્વાલના વોટ્સએપ ગ્રુપ પર દેશ વિક્રેતા નામનો એક વિડીયો આવ્યો હતો. વીડિયોમાં પીએમ નરેન્દ્ર મોદીના મામલે દેશને વેચવા સહિતની અન્ય પ્રકારની અમર્યાદિત વાતો કરવામાં આવી હતી. વીડિયોના સંબંધમાં તેણે ગાયક વિશાલ ગાઝીપુર ઉર્ફે વિશાલસિંહ બાદલ સાથે વાત કરી કે આવું શું કામ કરવામાં આવ્યું છે?
જો વડા પ્રધાનને લઈને કોઈ ફરિયાદ હોય તો સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરો અને જો કોઈ ખોટી વાતચીત કરી છે તો તંત્ર સજા કરશે. આ અંગે ગાજીપુરના નોનહરા પોલીસ મથકના વિશુનપુરામાં રહેતા વિશાલ ગાઝીપુરીએ તેમની સામે જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ કરી હતી અને આ સાથે, તેમનો નંબર યુટ્યુબ પર મૂક્યો હતો.
પીએમ મોદીને લઈને અભદ્ર ગીતો ગાવાનો છે વિવાદ
જે બાદ ગિરિજા શંકરના ફોન પર આશરે 8500 જેટલા ધમકીભર્યા કોલ આવ્યા અને તે પરેશાન થઈ ગયો. ગિરિજા શંકરે કહ્યું કે વિશાલ અને તેના સાથીઓએ ગાજીપુરના એક સ્ટુડિયોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંબંધમાં બીજા ઘણા વાંધાજનક અને અભદ્ર ગીતો ગાયા છે.
આ સાથે, વિશાલ અને તેના અન્ય સાથીઓએ હિન્દુ ધર્મ અંગે વાંધાજનક ટિપ્પણી કરી છે અને તેમની પાસેથી વસૂલીની માંગણી પણ કરી છે. આ કેસની ફરિયાદ એસએસપીને કરવામાં આવી હતી પરંતુ ટ્રાયલ ન થવાથી તે કોર્ટમાં ગયો હતો અને અદાલતના આદેશ પર ફરિયાદ નોંધાઈને તપાસ શરૂ થઈ છે.